મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના આમરણમાં પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના આમરણમાં પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

રબી તાલુકાના આમરણ ગામે પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સો દ્વારા ઢીકા પાટુનો માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના આમરણ ગામે ડાયમંડનગરમાં રહેતા મહેશભાઈ મનસુખભાઈ બોડા જાતે પટેલ (ઉંમર ૪૫) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાસમભાઈ નજુભાઈ તૈલી અને ભોલો નજુભાઈ તૈલી રહે.બંને આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યું છે કે, ગઈકાલે બપોરના શાળા ૧૦ વાગ્યાના અરસામાં તે આમરણ પાસે હતા ત્યારે પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને જેમ ભાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા મહેશભાઈ દ્વારા કાસમભાઇ અને ભોલો બંનેની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીની મોચી શેરી વિસ્તારમાં રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૩ વર્ષના વૃદ્ધને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી નજીકના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિર પાસે રહેતા ભોળાભાઈ મલાભાઇ દેત્રોજા નામના ૫૫ વર્ષીય આધેડને તેમના ઘેર તેમના પત્ની અને પુત્રો દ્વારા માર મારવામાં આવતા તેમને પણ સારવારમાં લઇ જવાયા હતા.

વાહન અકસ્માતમાં બેને ઇજા

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા કાનજીભાઈ કાળાભાઈ ઘુમલીયા (૬૪) અને જતીન બેચરભાઈ જેતપરિયા (૩૭) બંને બાઈકમાં ડબલ સવારીમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર દરિયાલાલ હોટલ નજીક રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બંને ઇજાગ્રસ્તોને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના માથક ગામે રહેતા ઉષાબેન મુકેશભાઈ ચૌહાણ નામની ૩૪ વર્ષની મહિલા હળવદ પાસે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે બાઈકની ઓચિંતાની બ્રેક મારવામાં આવતા તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News