મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્ર અને પુત્રવધુએ માર મારતા વૃદ્ધ સારવારમાં..!


SHARE







મોરબીમાં પુત્ર અને પુત્રવધુએ માર મારતા વૃદ્ધ સારવારમાં..!

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ શેરીમાં રહેતા વૃદ્ધને તેના પુત્ર અને પુત્રવધુ દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા.બાદમાં તેઓએ પોતાના પુત્ર અને પુત્રવધુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

કળિયુગની પરાકાષ્ઠા દર્શાવતા ઉપરના બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ રોડ ઉપર રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૩ વર્ષના વૃદ્ધને તેમના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ નંદલાલભાઈએ પોતાના જ પુત્ર સુનિલ નંદલાલ ચૌહાણ અને તેની પત્ની દક્ષાબેન સુનિલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, નજીવી વાતે ઝઘડો કરીને બંને દ્વારા તેમને ધક્કો મારીને પાડી દીધા બાદ ઢીકાપાટુ વડે મારામારી કરવામાં આવી હતી.હાલ તેઓએ નોંધાવીને ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

રીક્ષામાંથી પડી જતા ઈજા

માળીયા મીંયાણાના કાજરડા ગામે રહેતા સહેરાબેન નુરમામદભાઈ માણેક નામના ૭૧ વર્ષીય વૃદ્ધા રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે માળિયા ગામના ઝાંપા પાસે તેઓ રિક્ષામાંથી નીચે પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો ભુનેશભાઈ સાગઠીયા નામનો ૧૫ વર્ષીય સગીર હળવદ ચોકડી પાસે હતો ત્યાં બે અજાણ્યા લોકો દ્વારા તેને માર મારવામાં આવતા સારવારમાં ખસેડાયો હતો.

દવા પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ ઉપર રહેતા મીનાબેન લાખાભાઈ ચૌહાણ નામના ૩૭ વર્ષના મહિલાએ કોઇકારણોસર ઝેરી દવા પી લેતા તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે






Latest News