મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્ર અને પુત્રવધુએ માર મારતા વૃદ્ધ સારવારમાં..!


SHARE













મોરબીમાં પુત્ર અને પુત્રવધુએ માર મારતા વૃદ્ધ સારવારમાં..!

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ શેરીમાં રહેતા વૃદ્ધને તેના પુત્ર અને પુત્રવધુ દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા.બાદમાં તેઓએ પોતાના પુત્ર અને પુત્રવધુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

કળિયુગની પરાકાષ્ઠા દર્શાવતા ઉપરના બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ રોડ ઉપર રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૩ વર્ષના વૃદ્ધને તેમના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ નંદલાલભાઈએ પોતાના જ પુત્ર સુનિલ નંદલાલ ચૌહાણ અને તેની પત્ની દક્ષાબેન સુનિલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, નજીવી વાતે ઝઘડો કરીને બંને દ્વારા તેમને ધક્કો મારીને પાડી દીધા બાદ ઢીકાપાટુ વડે મારામારી કરવામાં આવી હતી.હાલ તેઓએ નોંધાવીને ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

રીક્ષામાંથી પડી જતા ઈજા

માળીયા મીંયાણાના કાજરડા ગામે રહેતા સહેરાબેન નુરમામદભાઈ માણેક નામના ૭૧ વર્ષીય વૃદ્ધા રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે માળિયા ગામના ઝાંપા પાસે તેઓ રિક્ષામાંથી નીચે પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો ભુનેશભાઈ સાગઠીયા નામનો ૧૫ વર્ષીય સગીર હળવદ ચોકડી પાસે હતો ત્યાં બે અજાણ્યા લોકો દ્વારા તેને માર મારવામાં આવતા સારવારમાં ખસેડાયો હતો.

દવા પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ ઉપર રહેતા મીનાબેન લાખાભાઈ ચૌહાણ નામના ૩૭ વર્ષના મહિલાએ કોઇકારણોસર ઝેરી દવા પી લેતા તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે






Latest News