મોરબીમાં હવે ખાનગી શાળાના સંચાલકના દીકરાનું અપહરણ કરવાની ધમકી
મોરબી શહેર ભાજપ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્ર્મ યોજાયો
SHARE
મોરબી શહેર ભાજપ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્ર્મ યોજાયો
મોરબી શહેર ભાજપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ આજે તિરંગા વિતરણનો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને તેને ટીમ દ્વારા મોરબી શહેરના દરેક રોડ ઉપર તિરંગા લોકોને આપવામાં આવ્યા હતા અને લોકોને આ તિરંગા તેમના ઘર અને દુકાનો ઉપર લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદ વાંસડિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે. પરમાર, શહેર ભાજપ મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝરિયા, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકાના ચેરમેનો અને સભ્યો અને ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આજથી મોરબીમાં આવેલ મોટાભાગની સરકારી કચેરી ઉપર પણ તિરંગો લહેરાવવામાં આવ્યો છે તો લીલાપર ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ડો.હિરલ ઓઝા, અક્ષયગીરી, ગુલશાનાબેન દ્વારા પણ ત્યાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા રાજપર પીએચસીના રવાપર, લખધીર નગર ખાનપર, ચાચાપર ,થોરાળા, સનાળા, તમામ સેન્ટરે પણ તિરંગો લહેરાવવામાં આવ્યો છે