મોરબીમાં અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ
SHARE
મોરબીમાં અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે સેવા એ જ સંપત્તિ ટ્રસ્ટના પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન હાથ ઉપર લેવામાં આવ્યું છે તેના ભાગરૂપે મોરબીના નગરજનોને ફ્રીમાં તિરંગા આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના સનાળા રોડ ઉપરથી પસાર થતાં લોકોને અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા ફ્રી માં ૨૫૦૦૦ જેટલા તિરંગાઓનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારથી ત્યાં તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તા ૧૪ ના રોજ સાંજે ૭ વાગ્યા સુધી સુપર માર્કેટ પાસે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવશે