મોરબીના મહેન્દ્રનગર ગામે નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર પાસે રહેતો યુવાન પોતાના ઘરે બપોરે જમીને સૂતો હતો ત્યારબાદ તેને જગાડવા છતાં તે ન જાગતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આ બનાવવાની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પીપરવાળી શેરીમાં રહેતા ભાઈલાલભાઈ ગઠીયાનો દીકરો પાર્થ (૨૫) પોતાના ઘરે ગઈકાલે બપોરના સમયે જમીને સૂતો હતો અને ત્યારબાદ તેને બપોરના સાડા ચાર વાગ્યે જગાડવા છતાં પણ તે ન જાગતા તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી









