મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં પ્રેમી સાથે રહેતી સગર્ભા યુવતીનું સારવાર દરમ્યાન મોત


SHARE







વાંકાનેર નજીક કારખાનામાં પ્રેમી સાથે રહેતી સગર્ભા યુવતીનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના ભુજપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં પ્રેમીની સાથે રહેતી યુવતીને છેલ્લા દિવસોથી તાવ આવતો હતો જેથી તેને પ્રથમ સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં બેભાન હાલતમાં યુવતીની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મુળ છોટા ઉદયપુર જિલ્લાની રહેવાસી અને હાલમાં વાંકાનેરના ભોજપર ગામની સીમમાં ક્યુરેક્સ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતી જ્યોત્સનાબેન શેખાભાઈ ઉર્ફે શંકરભાઈ નાયકા જાતે આદિવાસી (ઉમર ૧૮) નામની યુવતી તેના પ્રેમી અનકેસભાઈ ટીનીયાભાઈ રાઠવા સાથે કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી હતી અને તેને છેલ્લા દિવસોથી તાવ આવતો હતો જેથી પ્રથમ સારવાર માટે વાંકાનેર ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીને ત્રણ માસનો ગર્ભ હતો અને તાવ સબબ તેમજ લોહીની ટકાવારી ઓછી હોવાના કારણે અને બીમારીના લીધે તેનું મૃત્યુ થયું હોવાનું ડોક્ટર પાસેથી જાણવા મળી રહ્યું છે હાલમાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસ દ્વારા નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News