મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં પ્રેમી સાથે રહેતી સગર્ભા યુવતીનું સારવાર દરમ્યાન મોત


SHARE















વાંકાનેર નજીક કારખાનામાં પ્રેમી સાથે રહેતી સગર્ભા યુવતીનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના ભુજપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં પ્રેમીની સાથે રહેતી યુવતીને છેલ્લા દિવસોથી તાવ આવતો હતો જેથી તેને પ્રથમ સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં બેભાન હાલતમાં યુવતીની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મુળ છોટા ઉદયપુર જિલ્લાની રહેવાસી અને હાલમાં વાંકાનેરના ભોજપર ગામની સીમમાં ક્યુરેક્સ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતી જ્યોત્સનાબેન શેખાભાઈ ઉર્ફે શંકરભાઈ નાયકા જાતે આદિવાસી (ઉમર ૧૮) નામની યુવતી તેના પ્રેમી અનકેસભાઈ ટીનીયાભાઈ રાઠવા સાથે કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી હતી અને તેને છેલ્લા દિવસોથી તાવ આવતો હતો જેથી પ્રથમ સારવાર માટે વાંકાનેર ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીને ત્રણ માસનો ગર્ભ હતો અને તાવ સબબ તેમજ લોહીની ટકાવારી ઓછી હોવાના કારણે અને બીમારીના લીધે તેનું મૃત્યુ થયું હોવાનું ડોક્ટર પાસેથી જાણવા મળી રહ્યું છે હાલમાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસ દ્વારા નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News