મોરબીના નહેરુ ગેઇટ ટાવરને લાઇટિંગ સુશોભિત કરીને કાયમી માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકાર્પણ કર્યો
મોરબી ઓરેવા ગ્રુપના સુપ્રીમો ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલે વૃક્ષ દાન માટે આપ્યા પાંચ લાખ
SHARE
મોરબી ઓરેવા ગ્રુપના સુપ્રીમો ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલે વૃક્ષ દાન માટે આપ્યા પાંચ લાખ
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલે સ્વાત્યંત્રતા પર્વે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને ૫૦૦૫૦૦ નું દાન જાહેર કર્યું છે રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા અને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી કાર્યક્રમ હર ઘર તિરંગા અને પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ૧૦૦૧ વૃક્ષનું દાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદમાં કર્યું હતું. અને વૃક્ષના દાતા બનીને સદર અભિયાનમાં સહભાગી બનીને અન્ય માટે પ્રેરણારૂપ પણ બન્યા છે આ કાર્ય બદલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાએ ગૌરવની લાગણી અનુભવી છે. આ સંસ્થાએ માત્ર વૃષારોપણ નહિ, પરંતુ તેના ઉછેરની જવાબદારી પણ સ્વીકારી છે. જેથી કરીને જયસુખભાઇએ તેઓની આ કામગીરીને બિરદાવી હતી