મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં લોડર નીચે કચડીને નિંદ્રાધીન મહિલાનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ


SHARE







મોરબીમાં લોડર નીચે કચડીને નિંદ્રાધીન મહિલાનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનાની અંદર થોડા દિવસો પહેલા ગોઝારો અકસ્માત બન્યો હતો. જેમાં લોડર ચાલકે બે નિંદ્રાધીન મહિલાઓને હડફેટે લીધી હતી જે પૈકી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું અને તેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે લોડરના ચાલકની ધરપકડ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર રવાપર (નદી) ગામની સીમમાં એક્સ્પર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં થોડા દિવસો પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં લોડર ચાલકે બેદરકારી પૂર્વક તેનું વાહન ચલાવ્યું હતું અને નિંદ્રાધીન ભુરીબેન દીપકભાઈ પારઘી (૨૨) અને રાધિકાબેન પથુભાઈ મોહિની (૨૧)ને હડફેટે લીધા હતા જે પૈકીનાં ભુરીબેન દીપકભાઈ પારઘીનું વાહન નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું જેથી કરીને મૃતક મહિલાના પતિ દીપકભાઈ માંગીલાલ પારઘી (ઉમર 30)ની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી તાલુકા પીએસઆઈ જેઠવા અને ફિરોઝભાઈ સુમરા દ્વારા આરોપી લોડર ચાલક સંતોષભાઈ સોહનભાઈ મિનારે જાતે ભીલ (૨૩) હાલ રહે. રવાપર નદી એકસપાર્ટ પાર્ટીકલ બોર્ડ મૂળ એમપી વાળાની ની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગળાફાંસો ખાઈ જતા યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા વિજય દોલુભાઈ અગેચાણીયા નામના ૩૦ વર્ષીય યુવાને તેના ગળેફાંસો ખાઈ લેતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ કે પત્ની પોતાના બે સંતાનોને લઈને સાતમ-આઠમ કરવા પીયર જતી રહેતા એકલવાયું લાગતા તેણે ઉપરોકત પગલું ભરી લીધું હતું..!






Latest News