મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સંધી મુસ્લિમ સમાજને ઓબીસી અનામતનો લાભ ચાલુ રાખવા માંગ કરી


SHARE







મોરબીમાં સંધી મુસ્લિમ સમાજને ઓબીસી અનામતનો લાભ ચાલુ રાખવા માંગ કરી

તાજેતરમાં સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત અટકાવવા માટે નક્કી કર્યું છે તેને લઈને ઓબીસી સમાજમાં રોષ પ્રવૃર્તી રહ્યો છે અને ઠેરઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે સંધી મુસ્લિમ સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વસ્તીના આધારે ઓબીસી અંતર્ગત રાજકીય અનામતનો લાભ આપવાની માંગ સાથે સંધી મુસ્લિમ સમાજે નિવાસી અધિક કલેકટરને આવેદન પાઠવ્યું હતુ.માળિયાના નાના ભેલા ગામના કાસમ સુમરા સહીતનાઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે નિવૃત ન્યાયમૂર્તિ કે.એસ.ઝવેરીના પંચ સમક્ષ દૈનિક પત્રકમાં જાહેર નિવિદા તા.૩૦-૭-૨૨ મુજબ રજૂઆત કરીએ છીએ કે સંધી મુસ્લિમ સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે મોરબી જીલ્લામાં સંધી મુસ્લિમ સમાજની વસ્તી કુલ મળીને ૨૦,૦૦૦ થી વધુની છે સમાજમાં શિક્ષણનું સ્તર ઓછું છે અને મોટાભાગે લોકો મજુરી કામ કરે છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકામાં સમાજનું પ્રતિનિધિત્વ નહીવત છે જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સમાજની વસ્તીના આધારે ઓબીસી અંતર્ગત રાજકીય અનામતનો લાભ મળવા જોઇએ.






Latest News