મોરબીના સુભાષ ચોક ખાતે કાલે દાંડીયારાસ અને મટકીફોડનું આયોજન કરતુ વૃંદાવન યુવા ગ્રુપ
મોરબીમાં સંધી મુસ્લિમ સમાજને ઓબીસી અનામતનો લાભ ચાલુ રાખવા માંગ કરી
SHARE
મોરબીમાં સંધી મુસ્લિમ સમાજને ઓબીસી અનામતનો લાભ ચાલુ રાખવા માંગ કરી
તાજેતરમાં સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત અટકાવવા માટે નક્કી કર્યું છે તેને લઈને ઓબીસી સમાજમાં રોષ પ્રવૃર્તી રહ્યો છે અને ઠેરઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે સંધી મુસ્લિમ સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વસ્તીના આધારે ઓબીસી અંતર્ગત રાજકીય અનામતનો લાભ આપવાની માંગ સાથે સંધી મુસ્લિમ સમાજે નિવાસી અધિક કલેકટરને આવેદન પાઠવ્યું હતુ.માળિયાના નાના ભેલા ગામના કાસમ સુમરા સહીતનાઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે નિવૃત ન્યાયમૂર્તિ કે.એસ.ઝવેરીના પંચ સમક્ષ દૈનિક પત્રકમાં જાહેર નિવિદા તા.૩૦-૭-૨૨ મુજબ રજૂઆત કરીએ છીએ કે સંધી મુસ્લિમ સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે મોરબી જીલ્લામાં સંધી મુસ્લિમ સમાજની વસ્તી કુલ મળીને ૨૦,૦૦૦ થી વધુની છે સમાજમાં શિક્ષણનું સ્તર ઓછું છે અને મોટાભાગે લોકો મજુરી કામ કરે છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકામાં સમાજનું પ્રતિનિધિત્વ નહીવત છે જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સમાજની વસ્તીના આધારે ઓબીસી અંતર્ગત રાજકીય અનામતનો લાભ મળવા જોઇએ.