મોરબીના રફાળેશ્વર પાસેથી ૪૭૫ લિટર દેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ: આરોપીની શોધખોળ
રાજસ્થાનની ઘટનાના પડઘા: મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિએ રાજ્યપાલને કરી રજૂઆત
SHARE
રાજસ્થાનની ઘટનાના પડઘા: મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિએ રાજ્યપાલને કરી રજૂઆત
રાજસ્થાનના જાલોરમાં આઠ વર્ષના દલિત વિદ્યાર્થીના મોતની દુઃખદ ઘટના મામલે મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા રાજ્યપાલને કલેકટર મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા તાલુકાના સુરાણા ગામમાં શાળામાં અભ્યાસ કરતા ઈન્દ્રકુમાર મેઘવાળ નામના આઠ વર્ષના દલિત સમાજના વિદ્યાર્થીને શાળાના શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ શિક્ષકને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને આટલું જ નહીં પરંતુ રાજસ્થાન સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે