માળીયા (મી)ના હરીપર પાટીયા પાસે ટ્રક ટ્રેલરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત ટંકારા નજીક આઇસર ચાલકે રોડ સાઈડમાં ઊભેલી રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ એક બાળકનું મોત ટંકારાના સરાયા ગામ નજીક આઇસરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ અથડાતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવાર વડે હુમલો: હવે સામસામી ફરિયાદ મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ વ્યાસની વરણી સૌની યોજના લિંક-૩: વાંકાનેર તાલુકાના તળાવોને નર્મદાના નીરથી ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત મોરબીના આલાપ રોડ ઉપર દબાણ દૂર કરવા સહિતના મુદ્દે 27 સોસાયટીના લોકોની મિટિંગ મળી
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડના બે વેપારીઓને ચેક રિટર્નના કેસમાં કોર્ટે ફટકારી સજા


SHARE













હળવદ માર્કેટ યાર્ડના બે વેપારીઓને ચેક રિટર્નના કેસમાં કોર્ટે ફટકારી સજા

હળવદ માર્કેટ યાર્ડના જુદાજુદા બે વેપારી દ્વારા રોકડા હાથ ઉછીના રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેની સામે ચેક આપવામાં આવ્યા હતા જે ચેક રિટર્ન થયા હોવાથી હળવદની કોર્ટમાં કેસ ચાલી ગયા હતા જે બંનેમાં ફરીયાદીને રકમ ચૂકવી આપવાનો આદેશ કરીને આરોપીને સજા ફટકારવામાં આવી છે

હળવદ માર્કેટ યાર્ડમાં પ્રજાપતિ ટ્રેડીંગ કંપની ધારાવતા મનસુખભાઈ ઓધડભાઈ પ્રજાપતિને હાથ ઉછીની રૂપિયા પરત આપવા માટે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈ રહે. મોવૈયા વાળાએ એકસીસ બેંકની પડધરી શાખાનો ૨,૨૭,૪૧૨ નો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા મનસુખભાઈ ઓધડભાઈએ લીગલ નોટીસ આપી હતી અને હળવદની કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈને ત્રણ માસની સાદી કેદની સજા અને ૨,૨૮,૦૦૦ રૂપિયા આપવા માટે આદેશ કર્યો છે આ કેસમાં ફરીયાદીના વકીલ રઘુવીરસિંહ જે. ઝાલા હતા.

હળવદના નવા ઈશનપુર ગામના વિઠલભાઈ લવજીભાઈ દલવાડીએ ૩.૪૧ લાખ ચામુંડા એન્ટર પ્રાઈઝના પ્રોપરાઈટર વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાને હાથ ઉછીના આપ્યા હતા જેથી વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાએ આદર્શ બેંક હળવદનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતાં વિઠલભાઈ દલવાડીએ નોટીસ આપી હતી અને હળવદની કોરટમાં કેસ ચાલી જતાં કોર્ટે ચામુંડા એન્ટર પ્રાઈઝ વાળા વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાને છ માસની સાદી કેદની સજા તેમજ ૩.૪૧ લાખ રૂપિયા ફરીયાદીને આપવા માટેનો તેમજ ૫૦૦૦ રૂપિયા સરકારમાં જમાં કરાવવા માટે આદેશ કરેલ છે આ કેસમાં પણ ફરીયાદીના વકીલ રઘુવીરસિંહ જે. ઝાલા હતા.




Latest News