ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂકંપ સમયે નવા બનેલા ગામના લોકોને પ્લોટની સનદ આપવા સીએમને રજૂઆત


SHARE













મોરબીમાં ભૂકંપ સમયે નવા બનેલા ગામના લોકોને પ્લોટની સનદ આપવા સીએમને રજૂઆત

ગુજરાતમાં ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો હતો ત્યારે ઘણા ઘર પડી ગયા હતા જેથી કરીને તે સમયે તાત્કાલિક જૂના ગામની બાજુમાં નવા ગામ બનાવવામાં આવ્યા હતા જો કે, ભૂકંપમાં નવા બનેલા ગામોના મકાનોના પ્લોટની સનદો હજુ સુધી આપવામાં આવી નથી જેથી કરીને આ મુદે સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ઘણા ગામો ભૂકંપમાં પડી ગયા હતા જેથી કરીને તાત્કાલિક નવા ગામો બનાવવાની કાર્યવાહી કરીને નવા ગામોના ગામ તળ મંજુર કરવામાં આવેલ હતા. અને લોકોએ તે નવા ગામમાં પોતાના મકાનો બનાવેલ છે અને હાલમાં ત્યાં જ રહે છે. પરંતુ આવા ઘણા ગામોમાં સરકાર દ્વારા લોકોને પોતાના મકાનાના પ્લોટની સનદ હજુ સુધી આપવામાં આવેલ નથી. જેમાં જીવાપર (ચ.) માંથી નવા બનેલ કેશવનગરનો છે. આવા બીજી પણ ઘણા ગામ હશે જેથી કરીને આ તમામ ગામના લોકોને પ્લોટની સનદો તાત્કાલિક આપવામ આવે તેવી માંગ કરી છે અને જો સરકાર દ્વારા આ કામ નહીં કરવામાં આવે તો લોકોને સાથે રાખીને ના છુટકે આંદોલન કરવામાં આવશે 






Latest News