મોરબીમાં કામ દરમિયાન મશીનમાં માથું આવી જતા મહિલા રાજકોટ ખસેડાયા
મોરબીમાં ભૂકંપ સમયે નવા બનેલા ગામના લોકોને પ્લોટની સનદ આપવા સીએમને રજૂઆત
SHARE
મોરબીમાં ભૂકંપ સમયે નવા બનેલા ગામના લોકોને પ્લોટની સનદ આપવા સીએમને રજૂઆત
ગુજરાતમાં ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો હતો ત્યારે ઘણા ઘર પડી ગયા હતા જેથી કરીને તે સમયે તાત્કાલિક જૂના ગામની બાજુમાં નવા ગામ બનાવવામાં આવ્યા હતા જો કે, ભૂકંપમાં નવા બનેલા ગામોના મકાનોના પ્લોટની સનદો હજુ સુધી આપવામાં આવી નથી જેથી કરીને આ મુદે સીએમને રજૂઆત કરવામાં આવી છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ઘણા ગામો ભૂકંપમાં પડી ગયા હતા જેથી કરીને તાત્કાલિક નવા ગામો બનાવવાની કાર્યવાહી કરીને નવા ગામોના ગામ તળ મંજુર કરવામાં આવેલ હતા. અને લોકોએ તે નવા ગામમાં પોતાના મકાનો બનાવેલ છે અને હાલમાં ત્યાં જ રહે છે. પરંતુ આવા ઘણા ગામોમાં સરકાર દ્વારા લોકોને પોતાના મકાનાના પ્લોટની સનદ હજુ સુધી આપવામાં આવેલ નથી. જેમાં જીવાપર (ચ.) માંથી નવા બનેલ કેશવનગરનો છે. આવા બીજી પણ ઘણા ગામ હશે જેથી કરીને આ તમામ ગામના લોકોને પ્લોટની સનદો તાત્કાલિક આપવામ આવે તેવી માંગ કરી છે અને જો સરકાર દ્વારા આ કામ નહીં કરવામાં આવે તો લોકોને સાથે રાખીને ના છુટકે આંદોલન કરવામાં આવશે









