મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂકંપ સમયે નવા બનેલા ગામના લોકોને પ્લોટની સનદ આપવા સીએમને રજૂઆત


SHARE













મોરબીમાં ભૂકંપ સમયે નવા બનેલા ગામના લોકોને પ્લોટની સનદ આપવા સીએમને રજૂઆત

ગુજરાતમાં ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો હતો ત્યારે ઘણા ઘર પડી ગયા હતા જેથી કરીને તે સમયે તાત્કાલિક જૂના ગામની બાજુમાં નવા ગામ બનાવવામાં આવ્યા હતા જો કે, ભૂકંપમાં નવા બનેલા ગામોના મકાનોના પ્લોટની સનદો હજુ સુધી આપવામાં આવી નથી જેથી કરીને આ મુદે સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ઘણા ગામો ભૂકંપમાં પડી ગયા હતા જેથી કરીને તાત્કાલિક નવા ગામો બનાવવાની કાર્યવાહી કરીને નવા ગામોના ગામ તળ મંજુર કરવામાં આવેલ હતા. અને લોકોએ તે નવા ગામમાં પોતાના મકાનો બનાવેલ છે અને હાલમાં ત્યાં જ રહે છે. પરંતુ આવા ઘણા ગામોમાં સરકાર દ્વારા લોકોને પોતાના મકાનાના પ્લોટની સનદ હજુ સુધી આપવામાં આવેલ નથી. જેમાં જીવાપર (ચ.) માંથી નવા બનેલ કેશવનગરનો છે. આવા બીજી પણ ઘણા ગામ હશે જેથી કરીને આ તમામ ગામના લોકોને પ્લોટની સનદો તાત્કાલિક આપવામ આવે તેવી માંગ કરી છે અને જો સરકાર દ્વારા આ કામ નહીં કરવામાં આવે તો લોકોને સાથે રાખીને ના છુટકે આંદોલન કરવામાં આવશે 






Latest News