મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી
Breaking news
Morbi Today

કારોના બાદ નબળાઈ રહેતા અને દવાઓથી કંટાળીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE













કારોના બાદ નબળાઈ રહેતા અને દવાઓથી કંટાળીને વૃદ્ધે કર્યો આપઘાત

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં સેટેલાઈટ ચોક પાસે રહેતા વૃદ્ધ તેની બીમારીથી કંટાળી ગયા હતા અને જેથી મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હમીરપર ગામ નજીકની ગૌશાળાના કુવામાં ઝંપલાવીને તેઓએ આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં સેટેલાઈટ ચોક પાસે રહેતા પરસોતમભાઈ નારણભાઈ પેઠાણી જાતે કોળી (ઉંમર ૬૨) પોતાનું એકટીવા લઈને ઘરેથી મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હમીરપર ગામે સુરભી ગૌશાળા ખાતે તેના ગુરુ પાસે આવ્યા હતા અને ત્યાં ગૌશાળાના કુવામાં ઝંપલાવીને તેણે આપઘાત કર્યો હતો જેથી કરીને તેનો મૃતદેહ પાણીમાં તરતો હોય ત્યાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દિકરા અભયભાઈ પરસોત્તમભાઈ પેઠાણી જાતે કોળી (ઉમર ૩૧) સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન તેમના પિતા પરસોતમભાઈને કોરોના થયો હતો અને ત્યારબાદ તેની સતત દવાઓ ચાલુ રહેતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી આટલું જ નહીં શારીરિક નબળાઈ પણ રહેતી હતી જેથી દવાઓથી અને બીમારીથી કંટાળીને તેના પિતાએ ગૌશાળાના કુવામાં પડીને અંતિમ પગલું ભર્યું હોય શકે છે જેથી પોલીસે મૃતકના દીકરાની વાતના આધારે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News