મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

કારોના બાદ નબળાઈ રહેતા અને દવાઓથી કંટાળીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE









કારોના બાદ નબળાઈ રહેતા અને દવાઓથી કંટાળીને વૃદ્ધે કર્યો આપઘાત

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં સેટેલાઈટ ચોક પાસે રહેતા વૃદ્ધ તેની બીમારીથી કંટાળી ગયા હતા અને જેથી મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હમીરપર ગામ નજીકની ગૌશાળાના કુવામાં ઝંપલાવીને તેઓએ આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં સેટેલાઈટ ચોક પાસે રહેતા પરસોતમભાઈ નારણભાઈ પેઠાણી જાતે કોળી (ઉંમર ૬૨) પોતાનું એકટીવા લઈને ઘરેથી મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હમીરપર ગામે સુરભી ગૌશાળા ખાતે તેના ગુરુ પાસે આવ્યા હતા અને ત્યાં ગૌશાળાના કુવામાં ઝંપલાવીને તેણે આપઘાત કર્યો હતો જેથી કરીને તેનો મૃતદેહ પાણીમાં તરતો હોય ત્યાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દિકરા અભયભાઈ પરસોત્તમભાઈ પેઠાણી જાતે કોળી (ઉમર ૩૧) સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન તેમના પિતા પરસોતમભાઈને કોરોના થયો હતો અને ત્યારબાદ તેની સતત દવાઓ ચાલુ રહેતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી આટલું જ નહીં શારીરિક નબળાઈ પણ રહેતી હતી જેથી દવાઓથી અને બીમારીથી કંટાળીને તેના પિતાએ ગૌશાળાના કુવામાં પડીને અંતિમ પગલું ભર્યું હોય શકે છે જેથી પોલીસે મૃતકના દીકરાની વાતના આધારે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News