મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

કારોના બાદ નબળાઈ રહેતા અને દવાઓથી કંટાળીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE







કારોના બાદ નબળાઈ રહેતા અને દવાઓથી કંટાળીને વૃદ્ધે કર્યો આપઘાત

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં સેટેલાઈટ ચોક પાસે રહેતા વૃદ્ધ તેની બીમારીથી કંટાળી ગયા હતા અને જેથી મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હમીરપર ગામ નજીકની ગૌશાળાના કુવામાં ઝંપલાવીને તેઓએ આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં સેટેલાઈટ ચોક પાસે રહેતા પરસોતમભાઈ નારણભાઈ પેઠાણી જાતે કોળી (ઉંમર ૬૨) પોતાનું એકટીવા લઈને ઘરેથી મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હમીરપર ગામે સુરભી ગૌશાળા ખાતે તેના ગુરુ પાસે આવ્યા હતા અને ત્યાં ગૌશાળાના કુવામાં ઝંપલાવીને તેણે આપઘાત કર્યો હતો જેથી કરીને તેનો મૃતદેહ પાણીમાં તરતો હોય ત્યાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દિકરા અભયભાઈ પરસોત્તમભાઈ પેઠાણી જાતે કોળી (ઉમર ૩૧) સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન તેમના પિતા પરસોતમભાઈને કોરોના થયો હતો અને ત્યારબાદ તેની સતત દવાઓ ચાલુ રહેતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી આટલું જ નહીં શારીરિક નબળાઈ પણ રહેતી હતી જેથી દવાઓથી અને બીમારીથી કંટાળીને તેના પિતાએ ગૌશાળાના કુવામાં પડીને અંતિમ પગલું ભર્યું હોય શકે છે જેથી પોલીસે મૃતકના દીકરાની વાતના આધારે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News