ગુજરાત શૈક્ષિક મહાસંઘના હોદેદારો જુની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને મળ્યા
પેટા ચૂંટણીના વચનો લોલિપોલ !: મોરબી પાલિકામાં પ્રાથમિક સુવિધા માટે હોબાળો
SHARE
પેટા ચૂંટણીના વચનો લોલિપોલ !: મોરબી પાલિકામાં પ્રાથમિક સુવિધા માટે હોબાળો
મોરબી માળીયાની પેટા ચૂંટણી વખતે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના લોકો તેનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલતો ન હોવાથી ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાના હતા ત્યારે ભાજપના આગેવાનો રાતોરાત ત્યાં દોડી ગયા હતા અને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી જો કે, અફસોસ કે આજની તારીખે પણ ગટરની ગંદકીનો પ્રશ્ન ઉકેલાયો નથી જેથી કરીને ભાજપ શાસિત પાલિકાના મહિલા સભ્યના પતિની આગેવાનીમાં પાલિકામાં લોકોએ હોબાળો કર્યો હતો ત્યાર બાદ ચીફ ઓફિસરે બહારથી મશીનરી આવે ત્યાર પછી પ્રશ્ન ઉકેલાશે તેવું કહ્યું હતું જેથી કરીને સવાલએ ઊભો થાય છે કે, એ ગ્રેડની પાલિકા પાસે કેમ ભૂગભનું કામ સારી રીતે થઈ શકે તેવી મશીનરી કે સ્ટાફ કેમ નથી
મોરબીના મહેન્દ્રપરા મેઇન રોડ ઉપર ગટરના પાણી ભરાવવાની સમસ્યા હોવાથી અગાઉ અહીના લોકો વિધાનસભાની પેટા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાના હતા ત્યારે આગેવાનો રાતોરાત ત્યાં ગયા હતા અને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપીને મતદાન કરવા માટે માંડમાંડ લોકોને મનાવ્યા હતા જો કે, પેટા ચૂંટણીનાં બે વર્ષ પછી પણ પ્રશ્ન આજે પણ યથાવત છે જેથી કરીને પેટા ચૂંટણીના વચનો લોલિપોલ સમાન સાબિત થાય છે જેથી કરીને આ વોર્ડના મહિલા સભ્યના પતિની આગેવાનીમાં નગરપાલિકા કચેરીએ લોકોનું ટોળું આવ્યું હતું અને ભાજપ શાસિત પાલિકામાં ભાજપના ચૂંટાયેલા મહિલા સભ્યોના પતિ સહિતના લોકોએ પાલિકા હાય હાય ના નારા લગાવ્યા હતા
આટલું જ નહીં લોકોએ ચીફ ઓફિસર તેની ચેમ્બરમાંથી બાહર આવીને તેની વાત સાંભળે તેવી માંગ કરી હતી જો કે, અધિકારી બહાર નહીં આવતા અંતે મહિલા સભ્યના પતિ સહિતના લોકો તેની કચેરીમાં ગયા હતા. અને મહેન્દ્રપરા વિસ્તારમાં બારેમાસ ગંદકી હોય છે તે પ્રશ્ન ઉકેલવા માટેની માંગ કરી હતી અને ગટરના પાણીમાં વરસાદી પાણી પણ મળી જવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે અને લોકો ઘર કે દુકાનમા રહી શકતા નથી ત્યારે ટેક્ષ ભરતા લોકોને કેમ સારી સુવિધા આપવામાં આવતી નથી તેવો પણ લોકોએ સવાલ કર્યો હતો અત્રે ઉલેખનીય છે કે, પાલિકાની ભૂગર્ભ સમિતિના ચેરમેન આ વિસ્તારના જ છે તો પણ લોકોને ગંદકીમાં રહેવું પડે છે ત્યારે ચીફ ઓફિસર સંદીપસિંહે પાલિકા પાસે ત્યાં કામગીરી કરી શકે તેવી મશીનરી પાલિકા પાસે નથી તેવું કહ્યું હતું અને બહારથી માણસો અને મશીનરી આવશે પછી કામ થશે તો સવાલએ ઊભો થાય છે કે, એ ગ્રેડની પાલિકામાં પાસે ભૂગર્ભની સમસ્યાને ઉકેલી શકાય તેવી મશીનરી કેમ નહીં









