હળવદની શાળા નંબર-૪ ને સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ શિક્ષણમંત્રીના હસ્તે એનાયત કરાયો
SHARE
હળવદની શાળા નંબર-૪ ને સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ શિક્ષણમંત્રીના હસ્તે એનાયત કરાયો
શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 'યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-રરના નિયત થયેલી વિવિધ કેટેગરીમાં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ પ્રદર્શન કરી એવોર્ડ માટે પસંદ થયેલી શાળાઓને ‘સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર' એનાયત કરવાનો કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં મંગળવારે યોજાયો હતો અને અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિકની કુલ મળીને ૨૦ શાળાઓને સ્વચ્છતાના પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લામાંથી ઓલ ઓવર કેટેગરીમાં શ્રી પે સે.શાળા નંબર-૪ હળવદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી, હળવદ તાલુકા શિક્ષણ અધિકારી અને હળવદ બી.આર.સી. એ અભિનંદન પાઠવ્યા હતા.









