મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના જુના જીવાપર ગામે પ્રાથમિક શાળાનું શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં સ્થળાંતર કરવા રજૂઆત


SHARE













મોરબીના જુના જીવાપર ગામે પ્રાથમિક શાળાનું શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં સ્થળાંતર કરવા રજૂઆત

મોરબીના જુના જીવાપર ગામના ગ્રામજનોએ આવેદનપત્ર આપીને રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, જુના જીવાપર ગામે હાલ જે પ્રાથમિક શાળા છે ત્યાં જીવાપર તથા આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. અને આ પ્રાથમિક શાળા ગામથી લગભગ દોઢ કિલોમીટર દુર આવેલ છે. આટલું જ નહીં ત્યાં મોટી ખુલ્લી પાણીની કેનાલ આવેલ છે જેથી અકસ્માત થવાનો ભય રહેલ છે. માટે જુના જીવાપર ગામે ગામના મધ્યમા આવેલ શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બનાવવામાં આવી છે તેમાં જુના જીવાપર ગામની પ્રાથમિક શાળાને ખસેડવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે.




Latest News