હળવદની શાળા નંબર-૪ ને સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ શિક્ષણમંત્રીના હસ્તે એનાયત કરાયો
મોરબીના જુના જીવાપર ગામે પ્રાથમિક શાળાનું શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં સ્થળાંતર કરવા રજૂઆત
SHARE
મોરબીના જુના જીવાપર ગામે પ્રાથમિક શાળાનું શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં સ્થળાંતર કરવા રજૂઆત
મોરબીના જુના જીવાપર ગામના ગ્રામજનોએ આવેદનપત્ર આપીને રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, જુના જીવાપર ગામે હાલ જે પ્રાથમિક શાળા છે ત્યાં જીવાપર તથા આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. અને આ પ્રાથમિક શાળા ગામથી લગભગ દોઢ કિલોમીટર દુર આવેલ છે. આટલું જ નહીં ત્યાં મોટી ખુલ્લી પાણીની કેનાલ આવેલ છે જેથી અકસ્માત થવાનો ભય રહેલ છે. માટે જુના જીવાપર ગામે ગામના મધ્યમા આવેલ શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બનાવવામાં આવી છે તેમાં જુના જીવાપર ગામની પ્રાથમિક શાળાને ખસેડવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે.