રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના ખોખરા હનુમાનજી મંદિર સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી
મોરબીના જેતપરમાં યુવાન ઉપર હુમલો થતાં ગ્રામજનો-વિહિપ લાલઘૂમ: કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
SHARE
મોરબીના જેતપરમાં યુવાન ઉપર હુમલો થતાં ગ્રામજનો-વિહિપ લાલઘૂમ: કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
મોરબીના જેતપર ગામે યુવાન ઉપર નજીવી વાતમાં છરી અને ધોકા વડે હુમલા કરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે ત્યાર બાદ જેતપરના ગ્રામજનો અને મોરબી વિહિપ દ્વારા કલેકટર અને એસપીને આવેદન પત્ર આપીને આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબીના જેતપર ગામે પટેલ યુવાન ઉપર નજીવી વાતમાં હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને જેતપર ગ્રામ પંચાયત તથા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં ગ્રામજનોએ કલેકટર અને એસપીને આવેદન આપ્યું હતુ અને યુવાન ઉપર હુમલો કરનારા આરોપીઓ નદીમાંથી ખનીજ ચોરી કરીને ગામમાં ગેરકાયદે પેશકદમી કરી રહ્યા છે તેમજ આ શખ્સો હુમલા કરવાની ટેવવાળા છે. તેમજ આ શખ્સોએ જાહેર જગ્યાએ આંગણવાડી પાસે ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન ખડકીને ભાડે આપી છે. આ શખ્સોએ નદીના કાંઠે ગેરકાયદે દબાણ કરી ખેડૂતોને જવાનો રસ્તો પણ બંધ કરી દીધો છે. જેથી કરીને યુવાન ઉપર હુમલો કરનારા શખ્સોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
વિહિપની રજૂઆત
મોરબીના જેતપરમાં કરવામાં આવેલ હુમલાના પગલે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માથાભારે તત્વોની છાપ ધરાવતા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે જેથી કરીને આ શખ્સોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી વિહિપ દ્વારા પણ માંગ કરવામાં આવી છે