વડાપ્રધાન મોદીને આવકારવા કચ્છની જનતા થનગની રહી છે : સાંસદ વિનોદભાઇ ચાવડા
મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં વરસાદથી થયેલ ખેતીના નુકશાનીના ફોર્મ ભરવાનું શરૂ
SHARE
મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસ અને કે.ડી.બાવરવા દ્વારા નક્કી કર્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની અતિવૃષ્ટિથી થયેલ નુકશાનની જાત માહિતી મેળવી હતી. અને ખેતીમાં નુકશાની થયેલા ખેડૂત ખાતેદારોની નુકશાનીની માહિતી સાથેના અરજી ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.આ માટે તરઘરી, ચાચાવદરડા, નાના દહીંસરા, ખીરસરા, મોટા દહીંસરા, સરવડ, મોટા ભેલા, ભાવપર, બગસરા, નાના ભેલા વિગેરે ગામોની મુલાકાત લીધી હતી.આ મુલાકાતમાં ખેડૂતો દ્વારા પોતાની વ્યથા ઠાલવવામાં આવી હતી.આ રીતે જ અન્ય ગામોનો પ્રવાસ પણ કરવામાં આવશે.દરેક ગામોના ખેતીમાં નુકશાની થયેલ ખેડૂતોના ભરેલા અરજી ફોર્મ સરકાર દરેક ગામોના ખેતીમાં નુકશાની થયેલ ખેડૂતોના ભરેલા અરજી ફોર્મ સરકારમાં રજુ કરીને સરકાર ખેડૂતોને વહેલી તકે ન્યાય આપે એ માટે રજૂઆત કરવામાં આવશે.તેમ મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાવેશભાઈ સાવરિયાએ યાદીમાં જણાવેલ છે