મોરબી જિલ્લામાં ૧૯ હજારથી વધુ બાળકોને મળ્યો પા પા પગલી યોજનાઓ લાભ
Morbi Today
મોરબીમાં આવતી કાલે રાજપુત સમાજની સાધારણ સભા યોજાશે
SHARE
મોરબીમાં આવતી કાલે રાજપુત સમાજની સાધારણ સભા યોજાશે
મોરબી રાજપુત સમાજના પ્રમુખે યાદીમાં જણાવે છે કે, આગામી તા.૨૮-૮ ને રવિવારના રોજ મોરબી રાજપુત સમાજની સાધારણ સભા મયુર સ્મૃતિ ભવન લખધીરવાસ મોરબી ખાતે સાંજે ૪ કલાકે રાખેલ છે.તો મોરબીના તમામ રાજપૂત સમાજના ભાઈઓ એ સમયસર હાજર રહેવા અનુરોધ કરાયો છે.
મિટીંગ માટે જે એજન્ડાઓ નકકી કરાયા છે તેમા આજદિન સુધીના હિસાબો રજુ કરવા અને બહાલી આપવી, નવા પ્રમુખની વરણી કરવા બાબતે તેમજ સમાજભવન નિર્માણ બાબત તથા નવા ટ્રસ્ટીઓની ચર્ચા બાબતે મિટીંગમાં ચર્ચાઓ કરવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ રઘુવિરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જાડેજાએ યાદીમાં જણાવેલ છે.









