મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે કારખાનામાં ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે કોન્ટ્રાક્ટરનો આંતક


SHARE







મોરબીના પીપળી રોડે કારખાનામાં ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે કોન્ટ્રાક્ટરનો આંતક

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્પેન્ટાગોન કારખાનામાં કોન્ટ્રાક્ટરને હિસાબ કરી છૂટો કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોન્ટ્રાક્ટર કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આવ્યો હતો અને કારખાનાના માલિકને માર માર્યો હતો જેથી કરીને મોરબી સિરમાઈક એસો.ના પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને મોરબી તાલુકા પોલીસે બન્ને લુખ્ખાઓને ઝડપી લીધા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે

મોરબીના પીપળી રોડે આવેલ સ્પેન્ટાગોન સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાક્ટર રણબીર જાટ, રહે. પાવડીયારી વાળાને કારખાનામાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને રોષે ભરાયેલા કોન્ટ્રાકટરે કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આંતક મચાવ્યો હતો અને કારખાનના સંચાલક પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાને માર માર્યો હતો. જેથી કરીને ૧૫૦ જેટલા સિરામિક ઉદ્યોગકારો ત્યાં પહોચ્યા હતા અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લુખ્ખાગીરી કોઈ પણ ભોગે ચલાવી લેવાય નહીં તેવું એસપીને કહ્યું છે અને કડક પગલા ભરવા સૂચના આપી છે આ ઘટના બાદ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા અને અન્ય હોદેદારો તેમજ કારખાનેદારો તાલુકા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. અને તાલુકા પોલીસે કારખાનામાં આતંક મચાવનારા રણબીર જાટ સહિત બે શખ્સને દબોચી લીધેલ છે અને હાલમાં ભોગ બનેલા પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાની ફરિયાદ લેવા માટે તજવીજ ચાલુ છે 






Latest News