મોરબીમાં શીવભક્તિ સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન
SHARE
મોરબીમાં શીવભક્તિ સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન
શીવ ભક્તો અને પર્યાવરણ પ્રેમી સાથે ભોલેનાથનો અનોખો ભંડારો યોજવામાં આવ્યો હતો અને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને યુવાનોએ સાર્થક કર્યું હતું મોરબીના લાલપર ગામે યુવાનોએ ભોલેનાથનો ભંડારો યોજાયો હતો જેમાં પર્યાવરણ પરિવાર, વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા અબોલ જીવોના આહાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શ્રાવણ માસની અમાસના દિવસે શીવલીંગની રંગોળી બનાવી હતી અને તેમાં વપરાયેલ સામગ્રીમાંથી કીડીયારું પુરીયુ હતું ત્યારે ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને જુદીજુદી ૫૧ જગ્યાએ જંગલમાં જમીનનો ખાડો ખોદીને દાટી તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મૂક્યા હતા જેથી ૫૧૦૦૦ જેટલા નાના જીવોને તેમાંથી ખોરાક મળતો રહેશે તેવી જ રીતે અમાસના દિવસે શિવ મંદિરોમાં ભક્તોની વધુ ભીડ હોય છે ત્યારે મોરબીના આંદરણા ગામે જાગનાથ મહાદેવ મંદિરમાં નાગદેવતા દેખાતા હતા જેથી કરીને લોકોએ તેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી