મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં શીવભક્તિ સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન


SHARE













મોરબીમાં શીવભક્તિ સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન

શીવ ભક્તો અને પર્યાવરણ પ્રેમી સાથે ભોલેનાથનો અનોખો ભંડારો યોજવામાં આવ્યો હતો અને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને યુવાનોએ સાર્થક કર્યું હતું મોરબીના લાલપર ગામે યુવાનોએ ભોલેનાથનો ભંડારો યોજાયો હતો જેમાં પર્યાવરણ પરિવાર, વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા અબોલ જીવોના આહાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શ્રાવણ માસની અમાસના દિવસે શીવલીંગની રંગોળી બનાવી હતી અને તેમાં વપરાયેલ સામગ્રીમાંથી કીડીયારું પુરીયુ હતું ત્યારે ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને જુદીજુદી ૫૧ જગ્યાએ જંગલમાં  જમીનનો ખાડો ખોદીને દાટી તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મૂક્યા હતા જેથી ૫૧૦૦૦ જેટલા નાના જીવોને તેમાંથી ખોરાક મળતો રહેશે તેવી જ રીતે અમાસના દિવસે શિવ મંદિરોમાં ભક્તોની વધુ ભીડ હોય છે ત્યારે મોરબીના આંદરણા ગામે જાગનાથ મહાદેવ મંદિરમાં નાગદેવતા દેખાતા હતા જેથી કરીને લોકોએ તેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી






Latest News