મોરબી જિલ્લાના કોટડા નાયાણીમાં દારૂના અડ્ડા બંધ કરવા ગ્રામજનોની માંગ
મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં કુહાડી, ધોકા વડે મારામારી: પાંચ જેટલા લોકોને ઇજા
SHARE
મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં કુહાડી, ધોકા વડે મારામારી: પાંચ જેટલા લોકોને ઇજા
મોરબીના રફાળેશ્વર ગામે સાંજના સમયે નજીવી વાતમાં મારા મરીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના ચારથી પાંચ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
મોરબીના રફાળેશ્વર ગામે ફરી એક વખત મારા મારિનો બનાવ સામે આવ્યો છે જેમાં ઉમા મોટર વાળા દશરથભાઈ મકાસણા પાસે નશાની હાલતમાં આવેલા અજય જગદીશ ચૌહાણ નામનો શખ્સ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારે બંને પક્ષના કુલ મળીને ચારથી પાંચ લોકોને કુહાડી, ધોકા વડે માર મારતા ઇજાઓ થયેલ છે જેથી કરીને આ બનાવમાં ઇજા પામેલા લોકોને મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોવાથી પોલીસે ફરિયાદ લેવા માટેની કાર્યવાહી શરૂ કરી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ દશરથભાઈ મકાસણાને ઇજા થયેલ છે તેમજ નિલરાજસિહ બનેસિહ જાડેજાને પગના ભાગે કુહાડી મારી છે અને અંતિમસિહ બનેસિહ જાડેજાને માથામાં કુહાડી મરેલ છે તો નવઘણભાઇ ધારાભાઇ ભરવાડને આંખના ભાગે ઇજા થયેલ છે જેથી કરીને તેને હાલમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર લઈ જવામાં આવેલ છે