ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં કુહાડી, ધોકા વડે મારામારી: પાંચ જેટલા લોકોને ઇજા


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં કુહાડી, ધોકા વડે મારામારી: પાંચ જેટલા લોકોને ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે સાંજના સમયે નજીવી વાતમાં મારા મરીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના ચારથી પાંચ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

મોરબીના રફાળેશ્વર ગામે ફરી એક વખત મારા મારિનો બનાવ સામે આવ્યો છે જેમાં ઉમા મોટર વાળા દશરથભાઈ મકાસણા પાસે નશાની હાલતમાં આવેલા અજય જગદીશ ચૌહાણ નામનો શખ્સ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારે બંને પક્ષના કુલ મળીને ચારથી પાંચ લોકોને કુહાડી, ધોકા વડે માર મારતા ઇજાઓ થયેલ છે જેથી કરીને આ બનાવમાં ઇજા પામેલા લોકોને મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોવાથી પોલીસે ફરિયાદ લેવા માટેની કાર્યવાહી શરૂ કરી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ દશરથભાઈ મકાસણાને ઇજા થયેલ છે તેમજ નિલરાજસિહ બનેસિહ જાડેજાને પગના ભાગે કુહાડી મારી છે અને અંતિમસિહ બનેસિહ જાડેજાને માથામાં કુહાડી મરેલ છે તો નવઘણભાઇ ધારાભાઇ ભરવાડને આંખના ભાગે ઇજા થયેલ છે જેથી કરીને તેને હાલમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર લઈ જવામાં આવેલ છે






Latest News