મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં કુહાડી, ધોકા વડે મારામારી: પાંચ જેટલા લોકોને ઇજા
મોરબીના રફાળેશ્વર ગામે માથાકૂટ કરનારા સાથે સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા દરબાર, ભરવાડ અને પટેલ સમાજની માંગ
SHARE
મોરબીના રફાળેશ્વર ગામે સાંજના સમયે નજીવી વાતમાં મારા મરીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના ચારથી પાંચ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યાર બાદ પટેલ, દરબાર અને ભરવાડ સમાજના લોકો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને રજુઆત કરવા માટે પહોચ્યા હતા અને સામે વાળાને પાસાની સજા કરવાની માંગ કરી હત
મોરબીના રફાળેશ્વર ગામે ઉમા મોટર વાળા દશરથભાઈ મકાસણા પાસે નશાની હાલતમાં આવેલા અજય નામનો શખ્સ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારે બંને પક્ષના કુલ મળીને ચારથી પાંચ લોકોને કુહાડી, ધોકા વડે માર મારતા ઇજાઓ થયેલ છે જેથી કરીને આ બનાવમાં ઇજા પામેલા લોકોને મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમા દશરથભાઈ મકાસણા, નિલરાજસિહ બનેસિહ જાડેજા, અંતિમસિહ બનેસિહ જાડેજા અને નવઘણભાઇ ધારાભાઇ ભરવાડ ઇજા થયેલ હતી અને સામા પક્ષે પણ ઇજા થઇ હોવાથી તેને પણ સારવારમાં ખસેડાયા હતા ત્યારબાદ મોડી સાંજે પટેલ સમાજ, દરબાર સમાજ અને ભરવાડ સમાજના આગેવાનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સામેવાળાએ માથાકૂટ કરી હોય તેની સામે પાસાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ત્રણેય સમાજના આગેવાનો સહિતના લોકો દ્વારા કરવામાં આવી હતી