મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે ઘરની પાછળ ઘાસ કાઢવાનું કામ કરી રહેલા આધેડ ઉપર ધારિયા વડે હુમલો: આઠ સામે ફરિયાદ


SHARE









હળવદના નવા માલણીયાદ ગામે ઘરની પાછળ ઘાસ કાઢવાનું કામ કરી રહેલા આધેડ ઉપર ધારિયા વડે હુમલો: આઠ સામે ફરિયાદ

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે ઘરની પાછળના ભાગમાં ઘાસ કાઢવાની કામગીરી આધેડ કરી રહ્યા હતા ત્યારે ત્યાં પાછળના ભાગે રહેતા શખ્સોને તે સારું નહીં લાગતા ચાર મહિલા સહિત આઠ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આધેડને માથા અને પગમાં ધારિયાના ઘા ઝીકવામાં આવ્યા હતા તેમજ પાઇપ અને ધોકા વડે આધેડને તેમજ મહિલા સહિત અન્ય બે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ સહિતના ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ આધેડે ચાર મહિલા સહિત કુલ મળીને આઠની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા ઘનશ્યામભાઈ માવજીભાઈ કંઝરિયા જાતે દલવાડી (ઉમર ૫૦) એ હાલમાં રતિલાલ મૂળજીભાઈ પરમાર, ભગવાનજીભાઈ મૂળજીભાઈ પરમાર, કિશોરભાઈ મૂળજીભાઈ પરમાર, મુજીભાઇ હરજીભાઈ પરમાર, રૂખીબેન મૂળજીભાઈ પરમાર, મનિષાબેન કિશોરભાઈ પરમાર, ભાવનાબેન રતિભાઈ પરમાર અને ભગવાનજીભાઈના પત્નીની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પોતાના ઘરની પાછળની શેરીમાં ઘાસ કાઢવાની કામગીરી કરી રહ્યા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા રતિલાલ મૂળજીભાઈ પરમારે ધારિયા વડે તેના ઉપર હુમલો કરીને માથા તેમજ પગમાં ઘરિયાના બે ઘા માર્યા હતા તેમજ ભગવાનજીભાઈ, કિશોરભાઈ અને મૂળજીભાઈએ પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને સાહેદ ત્રિભોવનભાઈ અને કંચનબેનને કિશોરભાઈ, મનિષાબેન, ભાવનાબેન અને ભગવાનજીભાઈની પત્ની સહિતનાઓએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પથ્થરના છુટ્ટા ઘા કરીને ઇજાઓ કરી હતી જેથી ભોગ બનેલા ઘનશ્યામભાઈ કંઝરિયા, કંચનબેન અને ત્રિભુવનભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ઘનશ્યામભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર મહિલા સહિત આઠની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News