ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે ઘરની પાછળ ઘાસ કાઢવાનું કામ કરી રહેલા આધેડ ઉપર ધારિયા વડે હુમલો: આઠ સામે ફરિયાદ


SHARE













હળવદના નવા માલણીયાદ ગામે ઘરની પાછળ ઘાસ કાઢવાનું કામ કરી રહેલા આધેડ ઉપર ધારિયા વડે હુમલો: આઠ સામે ફરિયાદ

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે ઘરની પાછળના ભાગમાં ઘાસ કાઢવાની કામગીરી આધેડ કરી રહ્યા હતા ત્યારે ત્યાં પાછળના ભાગે રહેતા શખ્સોને તે સારું નહીં લાગતા ચાર મહિલા સહિત આઠ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આધેડને માથા અને પગમાં ધારિયાના ઘા ઝીકવામાં આવ્યા હતા તેમજ પાઇપ અને ધોકા વડે આધેડને તેમજ મહિલા સહિત અન્ય બે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ સહિતના ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ આધેડે ચાર મહિલા સહિત કુલ મળીને આઠની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા ઘનશ્યામભાઈ માવજીભાઈ કંઝરિયા જાતે દલવાડી (ઉમર ૫૦) એ હાલમાં રતિલાલ મૂળજીભાઈ પરમાર, ભગવાનજીભાઈ મૂળજીભાઈ પરમાર, કિશોરભાઈ મૂળજીભાઈ પરમાર, મુજીભાઇ હરજીભાઈ પરમાર, રૂખીબેન મૂળજીભાઈ પરમાર, મનિષાબેન કિશોરભાઈ પરમાર, ભાવનાબેન રતિભાઈ પરમાર અને ભગવાનજીભાઈના પત્નીની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પોતાના ઘરની પાછળની શેરીમાં ઘાસ કાઢવાની કામગીરી કરી રહ્યા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા રતિલાલ મૂળજીભાઈ પરમારે ધારિયા વડે તેના ઉપર હુમલો કરીને માથા તેમજ પગમાં ઘરિયાના બે ઘા માર્યા હતા તેમજ ભગવાનજીભાઈ, કિશોરભાઈ અને મૂળજીભાઈએ પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને સાહેદ ત્રિભોવનભાઈ અને કંચનબેનને કિશોરભાઈ, મનિષાબેન, ભાવનાબેન અને ભગવાનજીભાઈની પત્ની સહિતનાઓએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પથ્થરના છુટ્ટા ઘા કરીને ઇજાઓ કરી હતી જેથી ભોગ બનેલા ઘનશ્યામભાઈ કંઝરિયા, કંચનબેન અને ત્રિભુવનભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ઘનશ્યામભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર મહિલા સહિત આઠની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News