મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના માજી ધારાસભ્યની પ્રતિક ઉપવાસ દરમ્યાન તબિયત લથડી: રાતે જીતુભાઈ સોમાણીએ બોલાવી વેપારીઓની મિટિંગ


SHARE











વાંકાનેરના માજી ધારાસભ્યની પ્રતિક ઉપવાસ દરમ્યાન તબિયત લથડી: રાતે જીતુભાઈ સોમાણીએ બોલાવી વેપારીઓની મિટિંગ

વાંકાનેરમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદો ચર્ચા સ્પદ બનેલ છે અને વર્ષોથી જે જગ્યાને ટોકન ભાડેથી આપવામાં આવે તેવી માંગ સાથે ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી આંદોલન કરી રહ્યા છે જો કે, હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી ત્યારે જીતુભાઈના સમર્થનમાં જુદીજુદી સંસ્થાના લોકો પ્રતિક ઉપવાસ માટે આવે છે દરમ્યાન તેમના પત્ની અને વાંકાનેરના માજી પણ પ્રતિક ઉપવાસ ઉપર હતા ત્યારે તેની તબિયત લથડી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા

વાંકાનેરમાં ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવનું આયોજન થાય તે માટે મેદાન ટોકન દરે આપવાની માંગ સાથે ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણી નવ દિવસથી ઉપવાસ ઉપર બેઠેલ છે અને તેના સમર્થનમાં ઘણા લોકો અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેને ટેકો આપવામાં આવેલ છે અને તેની સાથે લોકો પ્રતિક ઉપવાસમાં પણ બેસે છે ત્યારે તેમના પત્ની અને વાંકાનેરના માજી ધારાસભ્ય જ્યોત્સનાબેન જીતુભાઇ સોમાણી પણ દરરોજ પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને મંગલવારે તેઓ ઉપવાસી છાવણીએ હતા ત્યારે તેની તબિયત લથડી હતી જેથી કરીને તેને વાંકાનેર સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ જ્યોત્સનાબેન જીતુભાઇ સોમાણીને બીપી અને ડાયબીટીસ વધી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ત્રણ પાર્ટી દ્વારા મેદાનની માંગણી કરવામાં આવી હતી જેમાંથી બે પાર્ટી હાલમાં સંતો સહિતનાઓની સમજાવટથી ખસી ગયેલ છે તો પણ મેદાન આપવા માટેનો કોઈ ફાઇનલ નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી કરીને રાતે જીતુભાઇ સોમાણીએ વેપારીઓ  સહિતનાની મિટિંગ બોલાવી છે અને મેદાન માટે હજુ પણ તેનું આંદોલન ચાલુ જ છે






Latest News