ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના માજી ધારાસભ્યની પ્રતિક ઉપવાસ દરમ્યાન તબિયત લથડી: રાતે જીતુભાઈ સોમાણીએ બોલાવી વેપારીઓની મિટિંગ


SHARE













વાંકાનેરના માજી ધારાસભ્યની પ્રતિક ઉપવાસ દરમ્યાન તબિયત લથડી: રાતે જીતુભાઈ સોમાણીએ બોલાવી વેપારીઓની મિટિંગ

વાંકાનેરમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદો ચર્ચા સ્પદ બનેલ છે અને વર્ષોથી જે જગ્યાને ટોકન ભાડેથી આપવામાં આવે તેવી માંગ સાથે ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી આંદોલન કરી રહ્યા છે જો કે, હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી ત્યારે જીતુભાઈના સમર્થનમાં જુદીજુદી સંસ્થાના લોકો પ્રતિક ઉપવાસ માટે આવે છે દરમ્યાન તેમના પત્ની અને વાંકાનેરના માજી પણ પ્રતિક ઉપવાસ ઉપર હતા ત્યારે તેની તબિયત લથડી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા

વાંકાનેરમાં ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવનું આયોજન થાય તે માટે મેદાન ટોકન દરે આપવાની માંગ સાથે ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણી નવ દિવસથી ઉપવાસ ઉપર બેઠેલ છે અને તેના સમર્થનમાં ઘણા લોકો અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેને ટેકો આપવામાં આવેલ છે અને તેની સાથે લોકો પ્રતિક ઉપવાસમાં પણ બેસે છે ત્યારે તેમના પત્ની અને વાંકાનેરના માજી ધારાસભ્ય જ્યોત્સનાબેન જીતુભાઇ સોમાણી પણ દરરોજ પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને મંગલવારે તેઓ ઉપવાસી છાવણીએ હતા ત્યારે તેની તબિયત લથડી હતી જેથી કરીને તેને વાંકાનેર સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ જ્યોત્સનાબેન જીતુભાઇ સોમાણીને બીપી અને ડાયબીટીસ વધી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ત્રણ પાર્ટી દ્વારા મેદાનની માંગણી કરવામાં આવી હતી જેમાંથી બે પાર્ટી હાલમાં સંતો સહિતનાઓની સમજાવટથી ખસી ગયેલ છે તો પણ મેદાન આપવા માટેનો કોઈ ફાઇનલ નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી કરીને રાતે જીતુભાઇ સોમાણીએ વેપારીઓ  સહિતનાની મિટિંગ બોલાવી છે અને મેદાન માટે હજુ પણ તેનું આંદોલન ચાલુ જ છે






Latest News