મોરબીના રામધન આશ્રમે ઋષિ પંચમીના દિવસે બહેનો માટે ખાસ વ્યવસ્થા
મોરબી સિટી એ ડિવિઝન ખાતે ગણેશોત્સવના આયોજકો સાથે અધિકારીની મિટિંગ યોજાઇ
SHARE
મોરબી સિટી એ ડિવિઝન ખાતે ગણેશોત્સવના આયોજકો સાથે અધિકારીની મિટિંગ યોજાઇ
મોરબીમાં જુદા જુદા વિસ્તારોની અંદર દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે અને આયોજકો દ્વારા પંડાલોમાં ગણેશજીનું સ્થાપન કરીને દસ દિવસ સુધી ગણેશજીનું પૂજન અર્જન ધામધૂમથી કરવામાં આવતું હોય છે અને ત્યારે મોરબી શહેરના લોકો પણ જુદા જુદા વિસ્તારોની અંદર જે ગણેશોત્સવના આયોજન કરવામાં આવ્યા હોય છે તેમાં ગણેશજીના દર્શન કરવા માટે થઈને જતા આવતા હોય છે ત્યારે શાંતિમય વાતાવરણની અંદર ગણેશ ઉત્સવ ઉજવાય તે માટે થઈને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર ગણેશોત્સવનું આયોજન કરનારા આયોજકોની સાથે સીટી પીઆઈ એમ.પી. પંડ્યાની હાજરીમાં મીટીંગ યોજાઇ હતી અને મોરબીમાં શાંતિમય વાતાવરણની અંદર ગણેશ ઉત્સવનો તહેવાર ઉજવવામાં આવે તેના માટે આયોજકો સાથે ચર્ચા કરવામાં આવી હતી