વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પાર્ટીને નુકશાન ન થાય તે માટે પ્રદેશ ભાજપમાં રજૂઆત કરતાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE









મોરબી જીલ્લામાં પાર્ટીને નુકશાન ન થાય તે માટે પ્રદેશ ભાજપમાં રજૂઆત કરતાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં જિલ્લાના વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવના મેદાન માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી છે અને વાંકાનેરમાં ગણેશોત્સવ ઉત્સવ સમિતિને ગણેશોત્સવ માટે મેદાન આપવામાં આવે તે માટે અધિકારીને વાત કરી છે તેમજ પાર્ટીને નુકશાન ન થાય તે માટે પ્રદેશ ભાજપના મહામંત્રીને તેઓએ વાત કરી છે

વાંકાનેરમાં છેલ્લા ૧૨ વર્ષથી ગણેશોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા જે જગ્યા ઉપર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હતું તે મેદાન ગણેશ ઉત્સવ સમિતિને આપવાના બદલે અન્ય પાર્ટીને વહીવટદાર દ્વારા આપવા માટેની કવાયત કરવામાં આવી રહી છે જેથી કરીને છેલ્લા ઘણા દિવસોથી જીતુભાઈ સોમાણી દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આજે રેલી યોજીને મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ગણેશોત્સવ સમિતિને મેદાન ફાળવવા માટેની માંગ કરવામાં આવી છે જોકે હજુ સુધી મેદાન ગણેશ ઉત્સવ સમિતિને આપવામાં આવ્યું નથી ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જીતુભાઈ સોમાણી જે ગણેશ ઉત્સવ સમિતિના સભ્ય છે તે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે જગ્યા ઉપર વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે જગ્યા તેઓને આપવી જોઈએ તેના માટે તેને જીતુભાઈ સાથે તેઓએ વાત કરી છે અને તેની સાથોસાથ જવાબદાર અધિકારી સાથે પણ તેઓએ ટેલીફોનિક વાત કરી છે અને સંગઠનમાં પણ હોદેદારો સાથે વાત કરેલ છે અને જીલ્લામાં પાર્ટીને નુકસાન ન થાય અને હિન્દુ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે પ્રકારની તેઓએ આ વિવાદનો અંત લાવવા માટે દરમિયાનગીરી કરેલ છે






Latest News