મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણેશોત્સવ સમિતિને RSS નું મેદાન આપવા કોંગી ધારાસભ્ય પીરજાદાએ કલેક્ટરને કરી રજૂઆત


SHARE













વાંકાનેરમાં ગણેશોત્સવ સમિતિને RSS નું મેદાન આપવા કોંગી ધારાસભ્ય પીરજાદાએ કલેક્ટરને કરી રજૂઆત

વાંકાનેર શહેરમાં આર.એસ.એસ. શાખાનું ગ્રાઉન્ડ ગણેશોત્સવ સમિતિને મેદાન આપવામાં આવે તેના માટે વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવિદ પીરજાદા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે

વાંકાનેર શહેરમાં આર.એસ.એસ. શાખાનું ગ્રાઉન્ડ આવેલ છે ત્યાં છેલ્લા ૧૨ વર્ષથી માર્કેટચોક ગણપતિ ઉત્સવનું અને નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે સુંદર અને સુલેહભર્યા ઉત્સવો ઉજવાય છે. જેના ભાગરૂપે ગણેશોત્સવ સમિતી ધ્વારા ચાલુ વર્ષે પણ આ ગ્રાઉન્ડની માંગણી કરવામાં આવેલ હતી જો કે, પાલિકાની સામાન્ય સભાએ ગ્રાઉન્ડ ટોકન ભાડેથી માંગણીદારને આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે આ ઠરાવમાં સંમતિ ન હોવાની નોંધ મુખ્ય અધિકારીએ કરેલ નથી તેમજ તેમના ધ્વારા પ્રમાણિત નકલ પણ આપવામાં આવેલ નથી

ત્યારબાદ અન્ય આસામી દ્વારા સદરહુ ગ્રાઉન્ડની માંગણી થતા ધાર્મિક મુદ્દે વિચારભેદ ઉભો થયેલ છે ત્યારે ટોકન ભાડાથી ગ્રાઉન્ડ આપવાનો નિર્ણય કરેલ હોવાથી વહીવટી તંત્રએ ધાર્મિક ઈસ્યુ દ્વારા શહેરની શાંતી ન જોખમાય તે માટે નગરપાલિકાના સામાન્ય સભાએ કરેલ નિર્ણયમાં દખલ ન કરવી જોઈએ શહેરમાં સામાજિક વાતાવરણ ડહોળાય અને શહેરની શાંતિ જોખમાય તેમ હોઈ પાલિકાએ થયેલ ઠરાવને વળગી રહેવાનો નિર્ણય માટે સ્થાનિક વહીવટી તંત્રને તાત્કાલીક સુચના આપવા વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવિદ પીરજાદા દ્વારા કલેક્ટરને રજૂઆત કરેલ છે 






Latest News