મોરબીના રામધાન આશ્રમ ખાતે કાલે કોંગ્રેસ દ્વારા અબ કી બાર, જનતા કી સરકાર કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીના રામધાન આશ્રમ ખાતે કાલે કોંગ્રેસ દ્વારા અબ કી બાર, જનતા કી સરકાર કાર્યક્રમ યોજાશે
મોરબી જીલ્લા કૉંગ્રેસ સમિતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા અબ કી બાર જનતા કી સરકાર, તો બોલો સરકાર.... કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને આવતી કાલે બપોરે ત્રણ વાગ્યે મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે આ કાર્યક્રમ યોજાશે
ગુજરાત રાજ્યની મેનીફેસ્ટો કમિટી દ્વારા લોકો પાસેથી લોકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે શું કરવામાં આવશે ? તે ચુંટણી ઢઢેરામાં સમાવેશ કરવામાં આવનાર છે. જેથી કરીને જાહેર જનતા, નાના વ્યવસાયિક મંડળો, મજુર મંડળ, રિક્ષા અસોસીયેસન, રોકડીયા ફેરિયાઓનું મંડળ, ફેરિયાઓનું મંડળ અન્ય યુનિયનો, વેપારી મંડળો , વિદ્યાથીઓ, શિક્ષકો, નોકરીયાતો, કોન્ટ્રેક પરના કર્મચારીઓ, ફિક્સ પગાર વાળા કર્મચારીઓ, વિદ્યાર્થીના વાલીઓ, શહેરના જાગૃત નાગરિકો, ખેડૂતો, માલધારીઓ, ટ્રાન્સપોર્ટરો, સેવાકીય સંગઠનો અને એનજીઓ કે અન્ય સંગઠનો આ તકે પશ્નો રજુ કરી શકે તે માટે તેને કોંગ્રેસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે ખાસ કરીને લોકશાહીમાં લોકો માટે જ સરકાર બનતી હોય છે. ત્યારે લોકોની સુખાકારી બાબતે શું કરવું જોઈએ ? તેવા સૂચનો લોકો પાસેથી મેળવવામાં આવશે અને પછી તે મુજબ કોંગ્રેસ દ્વારા ચુંટણી ઢઢેરો બનાવવામાં આવશે
આ કાર્યક્રમમાં વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીના ચેરમેન દીપકભાઈ બાબરિયા, પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ ઋત્વિકભાઈ મકવાણા તેમજ લલીતભાઈ કગથરા, ધારાસભ્ય મહમદ જાવિદ પીરઝાદા, રાજકોટ ડીવીઝન મેનીફેસ્ટો કમિટીના કન્વીનર કાન્તિલાલ ડી. બાવરવા તેમજ મેનીફેસ્ટો કમિટીના ગુજરાતના હોદેદારો ઊપસ્થિત રહેશે જેથી કરીને તા ૨/૯ ને શુક્રવારના રોજ બપોરે ત્રણ વાગ્યે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે લોકોને હાજર રહેવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ અને મોરબી જિલ્લા કોંગ્રેસ મેની ફેસ્ટો કમિટીના કન્વીનર ડો.લખમણભાઇ એમ. કંઝારિયાએ અપીલ કરી છે