મોરબી શહેર અને જીલ્લામાં ઠેરઠેર ધામધુમથી કરાયું ગણેશજીનું સ્થાપન: પૂજન અર્ચન શરૂ
શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા એહમદ શાહ વલી (ર.અ) ના ઉર્સ મુબારક ની તડામાર તૈયારીઓ, મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ
SHARE
શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા એહમદ શાહ વલી (ર.અ) ના ઉર્સ મુબારક ની તડામાર તૈયારીઓ, મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ
દર વર્ષની મુજબ આ વર્ષ પણ હજરત કુતુબ બાવા અહેમદ શાહ સરકારનો ઉર્સ મુબારક બહુજ સાનો સોકતથી ઉજવવાનું આયોજન કરેલ છે અંગ્રેજી તારીખ -૧-૯-૨૦૨૨- ગુરૂવાર અને મુસ્લિમ ચાંદ -૩- ના રોજ નૂરાની જલસો રાખેલ છે.સાંજે ચાર વાગ્યે શહેર ખતીબ રસીદમીયાબાપુ તથા મુસ્લિમ બિરાદરો દ્વારા સંદલ શરીફ ચઢાવવામાં આવશે. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ) નું પણ જોરદાર આયોજન કરેલ છે ન્યાજમાં ભાઈઓ માટે બાવા અહેમદશા દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગ મેમણ સમાજના જમાખાના મેમણ શેરીની બાજુમાં રાખવામાં આવેલ છે સાથેસાથે રાત્રે ઈશાની નમાજ બાદ કિબલા હસમતિ મૌલાના આદમના વાઈજશરીફનો પણ જલસો રાખેલ છે.વાહેજ પહેલા પેસ ઈમામ નજીરમીયા બાપુ બુખારી પોતાની જોશીલી જુબાનથી નાત શરીફ પણ પેસ કરશે તો આ મુબારક મોકા ઉપર તશરીફ લાવવા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશીકે બાવા અહેમદશા ગ્રુપ તરફથી જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે.