મોરબીના સર્કિટ હાઉસમાં દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને મિટિંગ યોજાઇ
SHARE
મોરબીના સર્કિટ હાઉસમાં દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને મિટિંગ યોજાઇ
મોરબીના સર્કિટ હાઉસ ખાતે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગ મોરબીના સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના અધ્યક્ષ એડ. દીપક પરમારે જણાવ્યુ હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તથા એઆઇસીસી અનુસુચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લીલોઠિયાની ઉપસ્થિતિમાં દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમ અમદાવાદ મુકામે થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવેલ છે ત્યારે મોરબી માળીયા વિધાનસભા મતવિસ્તારોમાં દલિતોની વસ્તી વ્યાપક પ્રમાણમાં છે જેથી કરીને દલિતોના મતદારો નિર્ણાયક છે માટે દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી જિલ્લાના દલીતા સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા આ તકે એઆઇસીસી અનુસુચિત જાતિ વિભાગનાનાં રાષ્ટ્રીય કોડીનેટર અને ગુજરાત પ્રભારી અનુસુચિત જાતિ વિભાગ રવિન્દ્ર દલવી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અનુસુચિત જાતિ વિભાગ ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઇ પરમાર, મોરબી જિલ્લા પ્રમુખ જયંતિભાઈ જે પટેલ, લે.ડી.બાવરવા, રાજેશભાઈ ચૌહાણ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા