વાંકાનેરની શિવપાર્ક સોસાયટીમાંથી નાઈટ ટીશર્ટ-પેન્ટનો દોઢ લાખનો માલ ભરેલ કારની ચોરી
મોરબીના નારણકા ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પો ગયેલા આધેડનું સારવારમાં મોત
SHARE
મોરબીના નારણકા ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પો ગયેલા આધેડનું સારવારમાં મોત
મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા આધેડ બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી પ્રમાણે મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા ભરતભાઈ મગનભાઈ મેરજા (ઉંમર ૫૧) ગત તા. ૨૯ ના રોજ સવારે રાત્રિના પોણા અગિયાર વાગ્યે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની શુભ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમ્યાન આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ બીમારીથી કંટાળીને આધેડે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નીપજયું છે
મહિલા ગુમ
હાલમાં હળવદ ગ્રિનપાર્ક સોસાયટીમા ભાડાના મકાનમા રહેતા મુળ સુરેન્દ્રનગર મારૂતીપાર્ક સોસાયટી ૮૦ ફુટ રોડ ઉપરના રહેવાસી આશાકુમારી કાળુભાઇ વાઢેર (૪૦) ધરે કોઇને જાણ કર્યા વગર પોતાની મેળે તા ૩૦ ના બપોરના એક વાગ્યાથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં તેના ભાઈ બ્રિજેશભાઇ કાળુભાઇ વાઢેર (૩૮) રહે. સુરેન્દ્રનગર મારૂતીપાર્ક સોસાયટી ૮૦ ફુટ રોડ વાળાએ ગુમશૂધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મેરૂપર ગામે થી તેની બહેન ગુમ થયેલ છે જેથી કરીને પોલીસે બનાવની નોંધા કરીને આગળની કાર્યવાહી કરેલ છે