મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરીને મારી નાંખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ


SHARE











મોરબી તાલુકામાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરીને મારી નાંખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને પરિણીતાએ જયેશ જગાભાઇ કગથરા રહે.વિરાટનગર (રંગપર) વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી જેમાં તેણીએ જણાવ્યુ હતું કે, આરોપી તેણીને બળજબરીથી ઓરડીમાં લઈ ગયો હતો અને તેણીને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને કાંઇ કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી અને આ બાબતે પરિણીતાનો પતિ આરોપીને સમજાવવા માટે ગયો હતો ત્યારે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઇ વી.બી.પીઠીયાએ હાલમાં આ ગુનામાં આરોપી જયદીપ ઉર્ફે જયેશ જગદીશભાઇ કગથરા જાતે કોળી (ઉમર ૨૦) રહે. રંગપર તા.જી.મોરબીની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા વિરજીભાઈ માધાભાઈ કણજારિયા નામના પચાસ વર્ષીય આધેડ બાઈક લઈને ઘરેથી વાડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા વિરજીભાઈ કણજારિયાને સારવારમાં ખસેડાયા હતા. તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ઇમરાન અલ્યાસ કટીયા નામના ૧૬ વર્ષીય સગીરને ઘરે મારામારીના બનાવમાં ઈજાઓ થતા તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં દિવ્યરાજ કિરણભાઈ સનારીયા નામના ૨૦ વર્ષના યુવાનને ઇજા થતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.
 
યુવાન સારવારમાં
 
મોરબીના વાવડી રોડ ઉપર રહેતો હૈદર ગુલામનબી માલાણી નામનો ૩૯ વર્ષનો યુવાન મોરબી નગરપાલિકા કચેરી પાસેથી બાઈક લઈને જતો હતો દરમિયાનમાં તે નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે રાજકોટ નજીકના વિછીયા તાલુકાના અજમેર ગામે રહેતા પૂજાબેન જીવાભાઇ રાઠોડ નામના ૭૨ વર્ષીય વૃદ્ધા બાઇકમાં બેસીને મોરબી આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા સારવાર માટે ખસેડાયા હતા.





Latest News