ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા રામનામ જપ મહાયજ્ઞ શરૂ


SHARE







મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા રામનામ જપ મહાયજ્ઞ શરૂ

શ્રી રામધામ આશ્રમ ટ્રસ્ટ દેવળિયા સંચાલિત મોરબી મુકામે પૂજ્ય સંતશ્રી નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની નેમ પૂરી કરવા ૧૩ માસનું અનુષ્ઠાન એટલે અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનો તા.૫ સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ ગયેલ છે અને આ મહાયજ્ઞ ૧૩ માસ સુધી ચાલશે.

જે અખંડ ધૂન નિમિતે પંચકુંડી શ્રી હનુમાનજી રુદ્રી મહાયજ્ઞઅખંડ જ્યોત શોભાયાત્રાશ્રી હનુમાન ચાલીસા પાઠધ્વજા પૂજનજ્ઞાનસભાસંત સમારોહ અને સ્ટેજ પ્રોગ્રામ યોજાશે જેમાં સોમવારે ભાવિ શોભાયાત્રા નીકળી હતી જે અખંડ રામધુન સ્થળ પર પૂરી કરવામાં આવી હતી મોરબી વાવડી રોડ ઉપર ગોકુલ ફાર્મ હાઉસ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે મહાયજ્ઞ ચાલી રહ્યો છે જે ધાર્મિક મહોત્સવ શરૂ કરવામાં આવ્યો ત્યારે અધ્યક્ષસ્થાને પ.પુ.ડો. રામેશ્વરબાપુ હરિયાણીઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રતિનિધિ તરીકે પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાપૂર્વ પ્રમુખ બી.એચ. ઘોડાસરાહંસરાજ હાલપરાનારણભાઇ ભાડજાવિનુભાઈ ગોરધનભાઈ તન્ના અને રવિન્દ્રભાઈ ગીરધરલાલ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જ્ઞાતિના આગેવાનોસમાજ શ્રેષ્થીઓતેમજ રાજકીય અગ્રણીઓને અખંડ જ્યોતમાં દિવેલ પૂરવા તેમજ ધર્મસભામાં સહભાગી બનવા માટે આવ્યું હતા અને આગામી દિવસોમાં જ્યાં સુધી આ મહાયજ્ઞ ચાલુ છે ત્યાં સુધી તેના દર્શનનો લાભ લેવા માટે સંત નાથાબાપા ભગતવતી, બાબુભાઈ ભીમજીભાઈ ગોપાણીરમેશભાઇ જીવરાજભાઈ રાણીપા તેમજ તમામ પ્રતિનિધિઓઆમંત્રણ પાઠવ્યુ છે.






Latest News