મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લામાં આડાસબંધની શંકામાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE











મોરબીમાં જીલ્લામાં આડાસબંધની શંકામાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે કડિયાણા ગામની સીમમાંથી મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી પોલીસે મૃતકનું ઓળખ મેળવી હતી અને ત્યાર બાદ મૃતક મહિલાના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દાહોદના પાનમ ગામના રહેવાસી તેના જમાઈની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે કડિયાણા ગમનિની સીમમાંથી હથિયાર વડે શરીરને માર મારીને મહિલાનું મોત નિપજાવેલી હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને ત્યારબાદ મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં દાહોદ જિલ્લાના ઉડાર ભાભોર ફળીયુના રહેવાસી નગરાભાઈ તીતરીયાભાઈ ભાભોર જાતે આદિવાસી (૬૫) એ દાહોદ જિલ્લાના પાનમ ગામના રહેવાસી તેના જમાઈ છગનભાઈ નવલાભાઇ ડામોર સામે દીકરીની હત્યા કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેની દીકરી ધનકીબેનના પ્રથમ લગ્ન અલીરાજપુર જીલ્લામાં રમેશભાઈ સાથે કર્યા હતા જો કે, ત્રણેક વર્ષ પહેલા તેનું અવસાન બાદ તેની દીકરી બે સંતાનો સાથે ફરિયાદીના ઘરે રહેતી હતી અને દોઢેક વર્ષ પહેલા તેને પાનમ છગનભાઈ નવલાભાઇ ડામોર સાથે લગ્ન કરી લીધા હતા અને ફરિયાદીની દીકરીને પાનમ ગામના છનુભાઈ સાથે આડા સબંધ (પ્રેમ સંબંધ) હોવાની શંકા વહેમ રાખીને છગનભાઈ ડામોરે તેને આખા શરીરે માર માર્યો હતો જેથી તેનું મોત નિપજાવ્યું હતું જેથી કરીને મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છગનભાઈ નવલાભાઇ ડામોર રહે, પાનમ ગામ દાહોદ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News