ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લામાં આડાસબંધની શંકામાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE













મોરબીમાં જીલ્લામાં આડાસબંધની શંકામાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે કડિયાણા ગામની સીમમાંથી મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી પોલીસે મૃતકનું ઓળખ મેળવી હતી અને ત્યાર બાદ મૃતક મહિલાના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દાહોદના પાનમ ગામના રહેવાસી તેના જમાઈની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે કડિયાણા ગમનિની સીમમાંથી હથિયાર વડે શરીરને માર મારીને મહિલાનું મોત નિપજાવેલી હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને ત્યારબાદ મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં દાહોદ જિલ્લાના ઉડાર ભાભોર ફળીયુના રહેવાસી નગરાભાઈ તીતરીયાભાઈ ભાભોર જાતે આદિવાસી (૬૫) એ દાહોદ જિલ્લાના પાનમ ગામના રહેવાસી તેના જમાઈ છગનભાઈ નવલાભાઇ ડામોર સામે દીકરીની હત્યા કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેની દીકરી ધનકીબેનના પ્રથમ લગ્ન અલીરાજપુર જીલ્લામાં રમેશભાઈ સાથે કર્યા હતા જો કે, ત્રણેક વર્ષ પહેલા તેનું અવસાન બાદ તેની દીકરી બે સંતાનો સાથે ફરિયાદીના ઘરે રહેતી હતી અને દોઢેક વર્ષ પહેલા તેને પાનમ છગનભાઈ નવલાભાઇ ડામોર સાથે લગ્ન કરી લીધા હતા અને ફરિયાદીની દીકરીને પાનમ ગામના છનુભાઈ સાથે આડા સબંધ (પ્રેમ સંબંધ) હોવાની શંકા વહેમ રાખીને છગનભાઈ ડામોરે તેને આખા શરીરે માર માર્યો હતો જેથી તેનું મોત નિપજાવ્યું હતું જેથી કરીને મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છગનભાઈ નવલાભાઇ ડામોર રહે, પાનમ ગામ દાહોદ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News