મોરબીના ગણેશ મહોત્સવમાં વેશભૂષા કાર્યક્રમ, ભૂલકાઓથી લઈને યુવાનોએ ઉત્સાભેર ભાગ લીધો
મોરબીના પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણેશયાગ યોજાયો
SHARE
મોરબીના પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણેશયાગ યોજાયો
મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામધામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી ગણેશ યાગનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞમાં વિવિધ પ્રકારના ફાળો સાથે ગણપતિને પ્રિય મોદક હોમી યજમાનોએ અનેરો લાભ લીધો હતો. આ ગણેશયાગમાં તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ તેમજ યજ્ઞના મુખ્ય આચાર્ય કૌશિકભાઈ વ્યાસએ પોતાની આગવી શૈલીમાંમાં સૌને ભક્તિમુગ્ધ કરી દીધા હતા.આ યાગમાં પરશુરામધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, રાજેન્દ્રભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, મહેશભાઈ ભટ્ટ, રોહિત પંડ્યા, નિલાબેન પંડિત, કિરણબેન ઠાકર, વિનુભાઈ ભટ્ટ, હાર્દિક વ્યાસ, હરીશભાઇ પંડ્યા, યગ્નેશભાઈ, હર્ષિતભાઈ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી