મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર રમેશભાઈ ઓઝાની કથાનું કેન્દ્રિય મંત્રીઓને રૂબરૂ આમંત્રણ આપતા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબીમાં યોજાનાર રમેશભાઈ ઓઝાની કથાનું કેન્દ્રિય મંત્રીઓને રૂબરૂ આમંત્રણ આપતા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોના સમયે અવસાન પામેલા લોકોના મોક્ષર્થે કથાનું આયોજન કર્યું છે અને તેના ગામડે ગામડે જઈને કાંતિભાઈ અમૃતિયા દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવેલ છે તેવી જ રીતે કેન્દ્રિય મંત્રીઓને પણ રૂબરૂ મળીને કાંતિભાઈ અમૃતિયા દ્વારા કથામાં આવવા માટેના આમંત્રણ આપવામાં આવેલ છે

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના અત્યંત કપરા સમયમાં દવાઓ અને આર્થિક યોગદાન સાથે સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. અને મહાવિનાશક કોરોનામાં લોકોના સંખ્યાબંધ સગા સંબંધીઓના અવસાન થયા હતા અને કદાચ એમના અંતિમ સંસ્કાર પણ આપણી પરંપરા કે વિધિ મુજબ કરી શક્યા નથી. એવા સમયે કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે, કોરોનામાં હતભાગી થયેલા આપણા ભાઈઓ બહેનોના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે અને આગામી ૧૨ તારીખથી પ્રખર ભગવદાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ શરૂ થવાનો છે ત્યારે અગાઉ મોરબી અને માળીયા તાલુકાના લોકોને ગામડે ગામડે જઈને કાંતિભાઈ અને તેની ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે આટલું જ નહીં કાંતિભાઈ અમૃતિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલાવ્યું હતું તેની સાથોસાથ લોકલાડીલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા અને દેવુસિંહ ચૌહાણને રૂબરૂ મળીને આમંત્રણ આપેલ છે






Latest News