મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર રમેશભાઈ ઓઝાની કથાનું કેન્દ્રિય મંત્રીઓને રૂબરૂ આમંત્રણ આપતા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબીમાં યોજાનાર રમેશભાઈ ઓઝાની કથાનું કેન્દ્રિય મંત્રીઓને રૂબરૂ આમંત્રણ આપતા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોના સમયે અવસાન પામેલા લોકોના મોક્ષર્થે કથાનું આયોજન કર્યું છે અને તેના ગામડે ગામડે જઈને કાંતિભાઈ અમૃતિયા દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવેલ છે તેવી જ રીતે કેન્દ્રિય મંત્રીઓને પણ રૂબરૂ મળીને કાંતિભાઈ અમૃતિયા દ્વારા કથામાં આવવા માટેના આમંત્રણ આપવામાં આવેલ છે

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના અત્યંત કપરા સમયમાં દવાઓ અને આર્થિક યોગદાન સાથે સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. અને મહાવિનાશક કોરોનામાં લોકોના સંખ્યાબંધ સગા સંબંધીઓના અવસાન થયા હતા અને કદાચ એમના અંતિમ સંસ્કાર પણ આપણી પરંપરા કે વિધિ મુજબ કરી શક્યા નથી. એવા સમયે કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે, કોરોનામાં હતભાગી થયેલા આપણા ભાઈઓ બહેનોના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે અને આગામી ૧૨ તારીખથી પ્રખર ભગવદાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ શરૂ થવાનો છે ત્યારે અગાઉ મોરબી અને માળીયા તાલુકાના લોકોને ગામડે ગામડે જઈને કાંતિભાઈ અને તેની ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે આટલું જ નહીં કાંતિભાઈ અમૃતિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલાવ્યું હતું તેની સાથોસાથ લોકલાડીલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા અને દેવુસિંહ ચૌહાણને રૂબરૂ મળીને આમંત્રણ આપેલ છે






Latest News