મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું
Breaking news
Morbi Today

મોરબી પાલીકા સંચાલીત સીટીબસ ઘુંટુ સુધી લંબાવો : પી.પી.જોષી


SHARE













મોરબી પાલીકા સંચાલીત સીટીબસ ઘુંટુ સુધી લંબાવો : પી.પી.જોષી

મોરબીમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને તાજેતરમાં શરૂ કરાયેલ સીટી બસને ઘુંટું સુધી લંબાવવાની માંગ કરવામાં આવેલ છે.કારણ કે ગેસ પુરાવા માટે મહેન્દ્રનગર સુધી સીટી બસો જતી હોય ત્યાંથી ઘુંટુ નજીકના આંતરે જ આવેલ હોવાથી જો ત્યાં સુધી બસ લંબાવવામાં આવે તો આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ, કારખાને જતા લોકો સહિતના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને આ સેવાનો લાભ મળી શકે તેમ છે.

મોરબીમાં સીટી બસનો પ્રારંભ કરેલ જે બદલ પાલીકાને ધન્યવાદ સાથે પી.પી.જોષીએ ચિફ ઓફીસરને જણાવેલ છે કે આ સીટી બસને ઘુંટુ સુધી લંબાવવી જરૂરી છે.કારણકે આ રોડ ઉપર વીસથી પચ્ચીસ જેટલી સોસાયટી આવેલ છે.જેનો લાભ આ વિસ્તારને મળી શકે અને જનતાને સસ્તા ભાડામાં મોરબી આવી શકે હાલમા આ સીટી બસ માળીયા ફાટક સુધી આવે છે અને ત્યાં ગેસ ભરાવવા સીએનજી પંપે જાય છે.ત્યાંથી ફકત બે કીલોમીટરના અંતરે ઘુંટુ આવેલ છે.જેનુ વધારે અંતર નથી અહીં સુધી તો બસ આવે છે.આ બસને ફકત બે કીલોમીટર લંબાવવામા આવે તો આ વિસ્તારની સોસાયટી વિસ્તારને તેમજ ગ્રામ્ય તેનો લાભ મળે અને નગરપાલીકા ને આવકમા વધારો થાય તેમ છે . કારણકે આ સોસાયટી વિસ્તારમા બધા શ્રમજીવી લોકો રહે છે અને મોરબી ખાતે રોજીરોટી રળવા આવે છે.આ સીવાય વિદ્યાર્થીઓ મોરબી ખાતે અભ્યાસ અર્થે આવે છે તેમજ આઇટીઆઇ જવા માટે પણ વિદ્યાર્થીઓ આબસસેવાનો લાભ લઇ શકે તેમ છે તના માટે સમયનું યોગ્ય આયોજન કરીને આ બસસેવાને ઘુંટુ સુધી લંબાવવાની ખાસ જરુર છે.જેથી ગરીબ પ્રજાને મોંઘાદાટ રીક્ષા ભાડા હાલમા ખર્ચ કરવો પડે છે.જેનાથી મુકિત મળે તો આ બાબતે આપના તરફથી યોગ્ય સહકાર આપી બસ ચાલુ કરવી તેવી વિનંતી અહીંના પી.પી.જોષીએ કરેલ છે.






Latest News