મોરબી જિલ્લાના લોકોની જનસુખાકારી માટે વિવિધ ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવા માટે તૈયારીઓ શરૂ
મોરબીની અભિનવ સ્કૂલ ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન
SHARE
મોરબીની અભિનવ સ્કૂલ ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન
સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ, ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને અભિનવ સ્કૂલ મોરબી દ્વારા (નિ:શુલ્ક) વૈદિક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પંચકોશ એટલે શું? પંચકોશ વિકાસ એટલે શું?, બાળકો નું ઘડતર કરી રીતે કરવું?, બાળકોની સમસ્યાઓ - જીદ્દ ગુસ્સો, ઇત્યાદિ ને દૂર કરવા શું કરવું? અને બાળકોની સુષુપ્ત શક્તિઓ નો વિકાસ કઈ રીતે કરવો? વિગેરે વિષય લેવામાં આવેલ છે આ કાર્યક્રમમાં જોડાવાથી બાળ ઉછેર તેમજ બાળ વિકાસની એક નવી જ દુનિયા ખુલશે.
આ કાર્યક્રમમાં મૂકી વક્તા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના સંચાલક ડૉ. મેહુલભાઈ આચાર્ય છે અને આ કાર્યક્રમમાં બાળકોનું ઉત્તમ ભવિષ્ય ઇચ્છનાર માતા-પિતા, શિક્ષણવિદો, આચાર્યો, પ્રબુદ્ધ નાગરીકો, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ કરનાર સંગઠનોના પ્રતિનિધિઓ અને શૈક્ષણિક પ્રકલ્પો સાથે સંકળાયેલા ભાઈઓ/બહેનો તથા ભારતીય શિક્ષા-ગુરુકુળ શિક્ષા વ્યવસ્થામાં કામ કરવાનો રસ ધરાવનાર ભાઈઓ તથા બહેનોનું સ્વાગત છે. અને પંચાસર રોડ ઉપર નાની કેનાલ રોડ રોહન નગર પાસે અભિનવ સ્કૂલ ખાતે તા ૧૦/૯ ના રોજ સાંજે ૪ થી ૬ આ કાર્યક્રમ યોજાશે અને શિબિર સંબંધિત કોઈપણ પ્રશ્નો હોય તો તેના માટે મયુરભાઈ ૯૮૨૫૮ ૮૨૨૪૧, મંથન માંકડ ૯૬૬૪૫૬૪૦૮૭ અને અમિત ગોરવાડીયા ૮૬૮૬ ૬૧૬૧૪૧ ઉપર સંપર્ક કરવા માટે કયું છે