મોરબીના આમરણ નજીક ફાર્મા પ્રોડક્ટ બનાવતા યુનિટમાં કેમિકલની અસર થતા બે યુવાન સારવારમાં
Morbi Today
મોરબીમાં સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવની વિસર્જન યાત્રામાં ખજૂર હાજર રહેશે
SHARE
મોરબીમાં સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવની વિસર્જન યાત્રામાં ખજૂર હાજર રહેશે
મોરબી શહેરમાં આવતીકાલે સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવની વિસર્જન યાત્રા નીકળશે ત્યારે જાણીતા યુટ્યુબર ‘ખજૂર’ ઉર્ફે નીતિન જાની પણ ત્યારે હાજર રહેશે
મોરબીમાં ઘરે ઘરે અને પાંડલમાં ગણેશજીનું સ્થાપન કરીને લોકોએ આરાધના કર્યા બાદ હવે દાદાની વિદાયની ઘડી આવી છે. ત્યારે મોરબીમાં સૌથી મોટું આયોજન સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યાં દાદાના દર્શન અને આરતીનો હજારો લોકોએ લાભ પણ લીધો છે ત્યારે કાલે ભારે હૈયે દાદાને વિદાય આપવામાં આવશે ત્યારે વિસર્જન યાત્રામાં તા ૯ ના રોજ ‘ખજૂર’ ઉર્ફે નીતિન જાની મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક ખાતે હાજર રહેશે