મોરબી પાલિકા દ્વારા મચ્છુ-૩ ડેમમાં ગણેશજીની મુર્તિઓનું સામૂહિક અને સલામત રીતે વિસર્જન કરવામાં આવ્યુ
મોરબીમાં શનાળા રોડે સરદાર પટેલની સાથે હવે શહીદ વિરોની પ્રતિમા પણ મુકાશે
SHARE
મોરબીમાં શનાળા રોડે સરદાર પટેલની સાથે હવે શહીદ વિરોની પ્રતિમા પણ મુકાશે
મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રી મહોત્સવ મહોત્સવના મુખ્ય આયોજક અજય લોરીયા દ્વારા સરદાર પટેલની નવી પ્રતિમા મૂકવામાં આવશે તેમજ સાથે ક્રાંતિવીરો શહીદ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ ની પ્રતિમા પણ મુકાશે.
મોરબીના સેવાભાવી અને દેશભક્તિ યુવાન અજય દ્વારા શનાળા રોડે સરદાર પટેલની પ્રતિમાને નવી બનાવી અને મૂકવામાં આવશે અને સર્કલને પણ રિનોવેશન કરવામાં આવશે તેની સાથે હવે શહીદ વીર જવાનો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ મૂકવામાં આવશે આ પ્રતિમા ઘડવાનું કાર્ય હાલ થાનના ચાલુ છે અને થોડા સમયમાં નોરતાના પ્રારંભે નવી પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવશે આ ઉપરાંત ત્યાં રાષ્ટ્ર ધ્વજ પણ બંને બાજુ લગાડવામાં આવશે તેમ અજય લોરીયાએ જણાવ્યું છે