મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે જૈન યુવક મંડળ દ્વારા સંઘજમણ- રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ


SHARE













મોરબીમાં રવિવારે જૈન યુવક મંડળ દ્વારા સંઘજમણ- રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

મોરબી આગામી રવિવારે સ્થાનાકવાસી જૈન યુવક મંડળ દ્વારા પર્યુષણ પર્વ પૂર્ણ થતા જૈન સમાજના લોકો માટે સંઘજમણનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે રવિવારે મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહ અને રઘુકુળ મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણ પર્વની પુર્ણાહુતી બાદ સ્થાનાકવાસી જૈન યુવક મંડળ દ્વારા સ્વામી વાત્સલ્ય સંઘજમણનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે તા. ૧૧ ને રવિવારના રોજ ૧૧:૩૦ કલાકે સંઘજમણનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ દશશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી સરદાર રોડ બેન્ક ઓફ બરોડા સામે સંઘજમણ રાખવામા આવ્યું છે અને પાછળના દરવાજેથી એન્ટ્રી રાખવામા આવી છે તેવું સંસ્થાના પ્રમુખ મનોજભાઈ ડી.દેસાઈ અને મંત્રી રાજુભાઇ એમ. ગાંધીએ જણાવ્યુ છે

તો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહ અને રઘુકુળ મોબાઇલ એપનું લોકાર્પણ કાર્યક્રમનું સાંજે ૪:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ જશરાજભાઇ ઘેલાણીના હસ્તે કરવામાં આવશે. અને પ્રમુખ સ્થાને ડો. પરીક્ષિત ગુલાબરાય જોબનપુત્રા, અતિથિ વિશેષપદે નીરવ કાંતિલાલ માનસેતા હાજર રહેશે જેથી કરીને ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને આવવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News