મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમા નવયુગ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દીવસની ઉજવણી કરાઈ 


SHARE











મોરબીમા નવયુગ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દીવસની ઉજવણી કરાઈ 

૧૦ સપ્ટેમ્બર નાં રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત આજરોજ નવયુગ મહિલા કોલેજ- વિરપર ખાતે જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા આત્મહત્યા નિવારણ અંગે એક પ્રોગામનું આયોજન કરવામા આવ્યુ હતું.

જનરલ હોસ્પિટલ મોરબીના અધિક્ષક ડૉ. દુધરેજીયા તથા જીતેન્દ્ર મિશ્રા (એ.એચ.ઓ) નાં માર્ગદર્શન હેઠળ વિશ્વ આત્મહત્યા નિવારણ દિન નિમિત્તે નવયુગ મહિલા કોલેજ- વિરપર ખાતે પ્રોગામનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં વિધાર્થીઓને સમજ મળી રહે તે માટે લેકચર અને એક નાની પ્રશ્ન જવાબ એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું હતુ. નવયુગ કોલેજનાં ટ્રસ્ટી પ્રિન્સિપાલ અને ત્યાંના એચ.આર પારુલબેનનો કાર્યક્રમને સફળ બનાવામાં બહોળો ફાળો રહ્યો હતો.જનરલ હોસ્પિટલ મોરબીના માનસિક રોગ વિભાગ માં ફરજ બજાવતા દિવ્યાબેન ગોહેલ (ક્લિનિકલ સાયકોલોજિસ્ટ) અને હિતેશ પોપટાણી( સોશ્યલ વર્કર)એ કાર્યક્ર્મમાં હાજર રહીને આત્મહત્યા નિવારણ અંગેની સમજ પૂરી પાડી હતી અને સાથે વિધાર્થીઓ મન માં ઉદભવતા પ્રશ્નોનાં જવાબ આપીને મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું હતુ.






Latest News