માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

૧૫૦ વર્ષ સુધી જે દેશે આપણાં ઉપર રાજ કર્યું હોય તે દેશની રાણીનું અવસાન થાય તો પણ શોક રાખે તે હિંદુસ્તાન છે : રમેશભાઈ ઓઝા


SHARE











૧૫૦ વર્ષ સુધી જે દેશે આપણાં ઉપર રાજ કર્યું હોય તે દેશની રાણીનું અવસાન થાય તો પણ શોક રાખે તે હિંદુસ્તાન છે: રમેશભાઈ ઓઝા

મોરબીમાં શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં કોરોના દિવંગતોના મોક્ષર્થે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની કથા શરૂ થયેલ છે ત્યારે માજી મુખ્યમંત્રી સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ત્યારે શ્રોતાઓને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું અને કથાકાર રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠેથી જણાવ્યુ હતું કે, ૧૫૦ વર્ષ સુધી જે દેશે આપણાં ઉપર રાજ કર્યું હોય તે દેશની રાણીનું આવસાન થાય તો પણ શોક રાખે તે હિંદુસ્તાન છે

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવેલ છે. અને પહેલા દિવસે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું અને કોરોનામાં મૃત્યુ પામેલા દિવ્યાંગોના મોક્ષ માટે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ભાવિકો સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ બોધરા, માજી સાંસદ વલ્લભભાઇ કથીરિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાંતિભાઈ અમૃતિયાને પરિવાર દ્વારા જે કથાનું આયોજન કર્યું છે તેને બિરદાવયુ હતું

ભાગવત સપ્તાહમાં ભાઈશ્રી દ્વારા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી તેમજ મોરબીના ઇતિહાસમાં મોરબીના લોકોએ ત્રણ ત્રાસદીનો હિંમતપૂર્વક સામનો કર્યાની વાત ભાગવત વચ્ચે ભાઈશ્રીએ કરી હતી જેમાં મચ્છુ ડેમ તૂટ્નોયો, ભૂકંપમાં કચ્છ અને મોરબીને નુકસાન કરેલ અને કોરોના મહામારીમાં મોરબીને પડેલી ખોટ અંગે વાત કરતા ભાઈશ્રીએ મોક્ષનું માર્ગ અને ધર્મની વાત કરી હતી અને ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં મોરબી સહિત ગામે ગામથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવ વિભોર થઈ ભાગવતનું સ્મરણ કર્યું હતું.






Latest News