ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના કલામહાકુંભમાં વાંકાનેરનું નામ રોશન કરતી એસ.એમ.પી.હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ 


SHARE













મોરબી જિલ્લા કક્ષાના કલામહાકુંભમાં વાંકાનેરનું નામ રોશન કરતી એસ.એમ.પી.હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ 

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત "આઝાદીકા અમૃત મહોત્સવ" અંતર્ગત મોરબી જિલ્લા કક્ષા કલામહાકુંભમાં વાંકાનેરનું નામ એસ.એમ.એ.પી. હાઈસ્કુલ સિંધાવદરની ઇરમબાનુ વકાલીયા અને અંકિતા ચાવડા તેમજ પરાસરા મુફરીને નામ રોશન કર્યું છે ટંકારાના વીરપર ગામ પાસે આવેલ નાલંદા વિદ્યાલય મોરબી મુકામે કલામહાકુંભ યોજાયો હતો.જેમાં જિલ્લાભરમાંથી અલગ અલગ સ્પર્ધામાં ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં સાહિત્ય વિભાગની નિબંધ સ્પર્ધામાં ધોરણ ૯ ની વિદ્યાર્થિની વકાલીયા ઇરમબાનુ નિઝામુદ્દીન (ખીજડીયા)એ તમામ સ્પર્ધકોમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. અને સર્જનાત્મક પ્રવૃતિમાં ચાવડા અંકિતા ચંદ્રકાંત (સિંધાવદર)એ પ્રથમ નંબર મેળવ્યો હતો.તેમજ એકપાત્રિય અભીનયમાં પરાસરા મુફરીન હુશેન (ખીજડીયા)એ ત્રીજો નંબર મેળવીને એસ.એમ.પી. હાઈસ્કૂલ તેમજ સમગ્ર વાંકાનેર નું નામ રોશન કર્યું છે. આ સફળતા બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ નાકીયાએ અને શાળાના આચાર્ય બાદી તેમજ સમગ્ર સ્ટાફ ગણે પણ અભિનંદન આપ્યા હતા. આવનારા દિવસોમાં પ્રદેશ કક્ષાના કલામહાકુંભમા સાહિત્ય વિભાગમા ઇરમબાનું વાકાલીયા અને સર્જનાત્મક પ્રવુતિમાં ચાવડા અંકિતા મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે






Latest News