ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનની હત્યા કરવાના ગુનામાં બે આરોપી ઝડપાયા: એકની શોધખોળ


SHARE













વાંકાનેરમાં યુવાનની હત્યા કરવાના ગુનામાં બે આરોપી ઝડપાયા: એકની શોધખોળ

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની છરીના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક શનિવારે મોડીરાત્રીના મારામારીના બનાવ બન્યો હતો જેમાં અમરનાથ સોસાયટીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વાળા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા (૩૮) નામના યુવાનને છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો અત્રે ઉલેખનીય છે કે, મૃતક અમિતભાઈના મિત્ર સુરેશભાઇ વિષ્ણુદાસ ગોંડલીયાને પૈસાની લેતીદેતી બાબતે હેરાન નહીં કરવા માટે ઈમરાન અને ઇનાયત નામના બે શખ્સોને કહ્યું હતું જે તેને સારું નહીં લગતા સરફરાજ મકવાણાના કહેવાથી ઈમરાન તેમજ ઇનાયત છરી અને ગુપ્તી લઈને આવ્યા હતા અને અમિતભાઈને ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયાએ ગુપ્તીના ઘા ઝીકયા હતા અને ઇમરાન ફારૂક આરબએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને અમિતભાઈનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના અમરનાથ સોસાયટીમાં રહેતા ભાઈ હીમાંશુભાઇ ઉર્ફે કાનો અશ્વીનભાઇ કોટેચા જાતે લોહાણા (૩૩)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો આ ગુનામાં પોલીસહળમાં ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા (૨૫) લક્ષ્મીપરા વાંકાનેર અને ઇમરાન ફારૂકભાઈ આરબ (૨૩) રહે, ખોજાખાના શેરી, વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ સરફરાજ મકવાણાને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 






Latest News