વાંકાનેરમાં યુવાનની હત્યા કરવાના ગુનામાં બે આરોપી ઝડપાયા: એકની શોધખોળ
ટંકારાના રોહીશાળા ગામે ગળાફાંસો ખાઈને તરૂણીએ કર્યો આપઘાત
SHARE
ટંકારાના રોહીશાળા ગામે ગળાફાંસો ખાઈને તરૂણીએ કર્યો આપઘાત
ટંકારા તાલુકાના રોહીશાળા ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની તરુણીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના રોહીશાળા ગામે ચમનભાઈ મગનભાઈ કંકાસરીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ મહેર જાતે આદિવાસીની દીકરી રાયુબેન (૧૬) એ કોઈ કારણોસર વાડીએ ગળાફસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તે તરુણીના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી