વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ગાત્રારાળનગર શાળાના નિવૃત્તિ શિક્ષીકાનો વિદાય સમારોહ યોજાયો: નિવૃતિ પછી કરી સેવાની જાહેરાત


SHARE











વાંકાનેરની ગાત્રારાળનગર શાળાના નિવૃત્તિ શિક્ષીકાનો વિદાય સમારોહ યોજાયો: નિવૃતિ પછી કરી સેવાની જાહેરાત

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા સિંધાવદર ગામે ગાત્રાળનગરમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષિકા કનકલતાબેન ગોસ્વામી વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહની સાથે શાળા ટિવીંનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ સિંધાવદરના સામાજિક અને રાજકીય આદેવાન યુસુફભાઈ શેરસીયા, પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઈ પરાસરા, એસએમસીના અધ્યક્ષ અને ગ્રામ પંચાયત સભ્ય સહીતનાઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં નિવૃત્ત થતા કનકલતાબેનનું સન્માન કરી ભેટ આપીને નિવૃત જીવન સુખમય અને તંદુરસ્તી સાથે વિતે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથોસાથ ગત્રારાળનગર શાળાના પૂર્વ શિક્ષક રજાકભાઈને તાજેતરમાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલ હોય તે બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદાય લેતા કનકલતાબેન ગોસ્વામીએ તમામ શિક્ષકો અને આગેવાનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે શાળામાં મેં પાંચ વર્ષ સુધી પગાર લઈને નોકરી કરી છે, પરંતુ હવે નિવૃત્તિ બાદ છ મહિના સુધી હું ફ્રી સેવા આપીશ.તેવી જાહેરાત કરી હતી.આ જાહેરાતને હાજર રહેલ તમામ લોકોએ વધાવી લીધી હતી






Latest News