વાંકાનેરના ખાનપર પાસે રજડતા ઢોર સાથે બાઈક અથડાતાં અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
વાંકાનેરની ગાત્રારાળનગર શાળાના નિવૃત્તિ શિક્ષીકાનો વિદાય સમારોહ યોજાયો: નિવૃતિ પછી કરી સેવાની જાહેરાત
SHARE
વાંકાનેરની ગાત્રારાળનગર શાળાના નિવૃત્તિ શિક્ષીકાનો વિદાય સમારોહ યોજાયો: નિવૃતિ પછી કરી સેવાની જાહેરાત
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા સિંધાવદર ગામે ગાત્રાળનગરમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષિકા કનકલતાબેન ગોસ્વામી વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહની સાથે શાળા ટિવીંનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ સિંધાવદરના સામાજિક અને રાજકીય આદેવાન યુસુફભાઈ શેરસીયા, પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઈ પરાસરા, એસએમસીના અધ્યક્ષ અને ગ્રામ પંચાયત સભ્ય સહીતનાઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં નિવૃત્ત થતા કનકલતાબેનનું સન્માન કરી ભેટ આપીને નિવૃત જીવન સુખમય અને તંદુરસ્તી સાથે વિતે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથોસાથ ગત્રારાળનગર શાળાના પૂર્વ શિક્ષક રજાકભાઈને તાજેતરમાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલ હોય તે બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદાય લેતા કનકલતાબેન ગોસ્વામીએ તમામ શિક્ષકો અને આગેવાનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે શાળામાં મેં પાંચ વર્ષ સુધી પગાર લઈને નોકરી કરી છે, પરંતુ હવે નિવૃત્તિ બાદ છ મહિના સુધી હું ફ્રી સેવા આપીશ.તેવી જાહેરાત કરી હતી.આ જાહેરાતને હાજર રહેલ તમામ લોકોએ વધાવી લીધી હતી