માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

વાંકાનેરની ગાત્રારાળનગર શાળાના નિવૃત્તિ શિક્ષીકાનો વિદાય સમારોહ યોજાયો: નિવૃતિ પછી કરી સેવાની જાહેરાત


SHARE











વાંકાનેરની ગાત્રારાળનગર શાળાના નિવૃત્તિ શિક્ષીકાનો વિદાય સમારોહ યોજાયો: નિવૃતિ પછી કરી સેવાની જાહેરાત

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા સિંધાવદર ગામે ગાત્રાળનગરમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષિકા કનકલતાબેન ગોસ્વામી વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહની સાથે શાળા ટિવીંનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ સિંધાવદરના સામાજિક અને રાજકીય આદેવાન યુસુફભાઈ શેરસીયા, પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઈ પરાસરા, એસએમસીના અધ્યક્ષ અને ગ્રામ પંચાયત સભ્ય સહીતનાઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં નિવૃત્ત થતા કનકલતાબેનનું સન્માન કરી ભેટ આપીને નિવૃત જીવન સુખમય અને તંદુરસ્તી સાથે વિતે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથોસાથ ગત્રારાળનગર શાળાના પૂર્વ શિક્ષક રજાકભાઈને તાજેતરમાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલ હોય તે બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદાય લેતા કનકલતાબેન ગોસ્વામીએ તમામ શિક્ષકો અને આગેવાનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે શાળામાં મેં પાંચ વર્ષ સુધી પગાર લઈને નોકરી કરી છે, પરંતુ હવે નિવૃત્તિ બાદ છ મહિના સુધી હું ફ્રી સેવા આપીશ.તેવી જાહેરાત કરી હતી.આ જાહેરાતને હાજર રહેલ તમામ લોકોએ વધાવી લીધી હતી






Latest News