મોરબીના કુલદીપસિંહ જાડેજાની એનએસયુઆઇમાં મંત્રી તરીકે વરણી
SHARE
મોરબીના કુલદીપસિંહ જાડેજાની એનએસયુઆઇમાં મંત્રી તરીકે વરણી
ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનું નવું માળખું તૈયાર થયું તેમાં મોરબીનાં કુલદીપસિંહ જાડેજાને મંત્રી તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ છે.કુલદીપસિંહ જાડેજા ઘણા સમયથી એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસમાં રહી હંમેશા વિદ્યાર્થી અને યુવાનોનાં પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે.સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઇ થતાં છબરડા મુદ્દે પણ તેમને અલગ અલગ આંદોલન કરેલા તેમની કામગીરી અને પક્ષની વિચારધારાને નિષ્ઠાપૂર્વક વરાયેલ હોવાથી તેમને ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનાં મંત્રી બનાવવામાં આવ્યા છે.આવનાર દિવસોમાં સમગ્ર મોરબી જીલ્લાનાં દરેક કોલેજ-સ્કૂલ કેમ્પસમાં જઈને વિદ્યાર્થીઓને વિચારધારા સાથે જોડી સંગઠન મજબૂત બનાવી વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોને વાચા આપશે.આ અગાઉ મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની ચૂંટણી લડી તેઓ મહામંત્રી બની કાર્ય કરી રહ્યા હતા. હવે પ્રદેશની ટીમમાં સમાવેશ થતાં મોરબી એનએસયુઆઇ માટે ગર્વની વાત ગણાય તેમ અહીંના એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ યાદીમાં જણાવેલ છે.