મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના કુલદીપસિંહ જાડેજાની એનએસયુઆઇમાં મંત્રી તરીકે વરણી


SHARE







મોરબીના કુલદીપસિંહ જાડેજાની એનએસયુઆઇમાં મંત્રી તરીકે વરણી

ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનું નવું માળખું તૈયાર થયું તેમાં મોરબીનાં કુલદીપસિંહ જાડેજાને મંત્રી તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ છે.કુલદીપસિંહ જાડેજા ઘણા સમયથી એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસમાં રહી હંમેશા વિદ્યાર્થી અને યુવાનોનાં પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે.સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઇ થતાં છબરડા મુદ્દે પણ તેમને અલગ અલગ આંદોલન કરેલા તેમની કામગીરી અને પક્ષની વિચારધારાને નિષ્ઠાપૂર્વક વરાયેલ હોવાથી તેમને ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનાં મંત્રી બનાવવામાં આવ્યા છે.આવનાર દિવસોમાં સમગ્ર મોરબી જીલ્લાનાં દરેક કોલેજ-સ્કૂલ કેમ્પસમાં જઈને વિદ્યાર્થીઓને વિચારધારા સાથે જોડી સંગઠન મજબૂત બનાવી વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોને વાચા આપશે.આ અગાઉ મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની ચૂંટણી લડી તેઓ મહામંત્રી બની કાર્ય કરી રહ્યા હતા. હવે પ્રદેશની ટીમમાં સમાવેશ થતાં મોરબી એનએસયુઆઇ માટે ગર્વની વાત ગણાય તેમ અહીંના એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ યાદીમાં જણાવેલ છે.






Latest News